गुजरात
વિજયનગર તાલુકા ના ગામડાઓમાં શ્રાવણ ના 15 દિવસ બાદ ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતો માં આનંદ ની લહેર છવાઈ
Anil Makwana
ઇડર
રિપોર્ટર -નટવરભાઈ પરમાર વિજલાસણ
સાબરકાંઠા ના વિજયનગર તાલુકા ના ગામડાઓમાં શ્રાવણ ના 15 દિવસ બાદ ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતો માં આનંદ ની લહેર છવાઈ છે કારણ કે ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને બબ્બે વાર બિયારણ નિષ્ફળ નીવડ્યું છે આવી કોરોના મહામારી માં એક તો પરિવાર નું બે ટંકનું ભોજન કરાવવા ના ફાંફા અને વધુમાં વરસાદ ખેંચાતા જનજીવન પર માંથી અસર પડી છે એવામાં ભગવાને લાજ રાખી કે ખેડૂતો ના ત્રીજીવાર બિયારણ નાખેલ નિષ્ફળ ના જાયઃ ભગવાનની મહેરબાની થી સંકટ સમયમાં પાકને લાયક વરસાદ વરસતા ખેતર માં નાખેલ બિયારણ ને જીવતદાન મળવા થી ખેડૂતોમાં આનંદની લાગણી અનુભવી છે