गुजरात

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’! | ahmedabad history ellis bridge traffic tax 1915 sardar patel



History of Ahmedabad: આજે આપણે ટ્રાફિક જામથી બચવા માટે સીસીટીવી અને મોર્ડન સિગ્નલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે 1915 માં અમદાવાદમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક અનોખી ટેક્સ વ્યવસ્થા હતી? નવાઈ લાગશે પણ એ સમયે એલિસબ્રિજ પરથી પસાર થવા માટે કોન્જેશન ટેક્સ આપવો પડતો હતો.

1915ના અમદાવાદમાં શા માટે લેવાતો હતો ટેક્સ?

તે સમયે રોજગારી વધતા અમદાવાદમાં વસ્તી અને વાહનોનું ભારણ વધવા લાગ્યું હતું. ખાસ કરીને આસ્ટોડિયા રોડ (તત્કાલીન ઓલિફન્ટ રોડ) અને રિલીફ રોડ (રિચી રોડ) પર ભીડ ઘટાડવા માટે તત્કાલીન કલેક્ટર મેરાહમે એક અનોખી યોજના બનાવી હતી. તેમણે એલિસબ્રિજ પાસે એક ખાસ ટોલ નાકું ઊભું કર્યું હતું.

શું હતા એ સમયના ટ્રાફિક ચાર્જ?

આજના યુગમાં ટોલ ટેક્સ માત્ર હાઈવે પર હોય છે, પણ 1915 માં શહેરની અંદર આ મુજબના દર હતા:

મોટર કાર: 1 આનો

બળદ ગાડી: 3 પૈસા

સાયકલ: 2 પૈસા

ઊંટ: 1 આનો

નોંધ: એ સમયે આ બ્રિજ પર હાથી લઈ જવાની સખત મનાઈ હતી!

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’! 2 - image
AI IMAGE

સરદાર પટેલની દૂરંદેશી અને ટ્રામનું સપનું

આ જ સમયગાળા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. તેમની પાસે શહેર માટે એક વિઝન હતું. તેમણે અમદાવાદના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક ટ્રામ દોડાવવાનું આયોજન કર્યું હતું. જોકે, કમનસીબે તે સમયે કેટલીક ટેકનિકલ અને વહીવટી મર્યાદાઓને કારણે અમદાવાદમાં ટ્રામનું સપનું સાકાર થઈ શક્યું નહીં. પરંતુ તેમની આ યોજના બતાવે છે કે અમદાવાદ 111 વર્ષ પહેલા પણ આધુનિક પરિવહન માટે તૈયાર હતું.

ટેક્સ સાથે ઓક્ટ્રોયનું ભારણ

જો વાહનચાલક માલ-સામાન સાથે બ્રિજ પસાર કરતો હોય, તો તેણે ટ્રાફિક ટેક્સ ઉપરાંત ઓક્ટ્રોય (જકાત) પણ ચૂકવવી પડતી હતી. અત્યારે જ્યાં એલિસબ્રિજ પાસે પોલીસ ચોકી છે, બરાબર ત્યાં જ આ ટેક્સ વસૂલવાનું બૂથ આવેલું હતું.

બ્રિજનો ઇતિહાસ

બ્રિજનું નામ ઉત્તર વિભાગના કમિશનર સર બરો હર્બર્ટ એલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત રિચી રોડ (રિલીફ રોડ): રિલીફ રોડનું જૂનું નામ રિચી રોડ હતું, જે મુંબઈના પૂર્વ ગવર્નરના નામ પરથી હતું. લોખંડી પુલની વિશેષતાએ હતી કે, 1892 માં જ્યારે આ પુલ ફરી બંધાયો (1875 ના પૂર પછી), ત્યારે તેનું લોખંડ ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યું હતું. આ એ જ પુલ છે જેના પર 1915માં આ ટેક્સ વસૂલાતો હતો. આજે લંડન અને સિંગાપોર જેવા શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટે કોન્જેશન ચાર્જ લેવામાં આવે છે, જેની શરૂઆત અમદાવાદે 111 વર્ષ પહેલા જ વિચારી લીધી હતી!



Source link

Related Articles

Back to top button