गुजरात

25 એપ્રિલે 8 વર્ષ બાદ યોજાતા 28માં પદવીદાન સમારોહ માટે આયુર્વેદ યુનિવર્સિટી તડામાર તૈયારીઓ સાથે સજ્જ

જીએનએ જામનગર

8 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સીટીમાં ગુજરાતના રાજ્યપાલની ઉપસ્થિતિમાં 28મો પદવીદાન સમારોહ થવા જઈ રહ્યો છે જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જામનગર ખાતે તા. ૨૫ એપ્રિલના રોજ વિશ્વપ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૮મો પદવીદાન સમારોહ યોજાશે. ચાર મહાનુભાવોને ડિ. લીટ. અને ૭૪૧ વિદ્યાર્થીને પદવી એનાયત થશે જેમાં ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી, સાંસદ અને પદાધિકારીઓ- અધિકારોની હાજરીમાં યોજાશે. આ સમારોહ માં નવા એમ.ઓ.યુ.ની જાહેરાત અને યુ-ટ્યુબ ચેનલ ખુલ્લી મુકવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષ સ્થાન ગુજરાતની તમામ યુનિવર્સીટીના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્દેવવ્રતજી રહેશે. પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી, આયુષ મંત્રાલય, ભારત સરકાર, શ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાજી, વિશિષ્ઠ અતિથિ તરીકે ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત રાજ્ય ઋષિકેશભાઈ પટેલ અને અન્ય વિશિષ્ઠ અતિથિ તરીકે માનનીય લોકસભા સાંસદ વૈદ્ય ભારતીબેન શિયાળ રહેશે. ઉપરાંત ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ અને આઈ.ટી.આર.એ.ના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકર સહીત અનેક મહાનુભાવો આ પ્રસંગમાં પોતાની પ્રેરક ઉપસ્થિતિ આપશે. ધન્વંતરિ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ પદવીદાન સમારોહમાં કુલ ૭૩૭ વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવશે ઉપરાંત ૪ વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોને ડી. લિટની પદવી એનાયત થશે. વિદ્યાર્થીઓમાં ડિપ્લોમા, પી.જી. ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, એમ.ડી., એમ.એસ., અને પી.એચડીના મળી કુલ ૭૪૧ વિદ્યાર્થીઓ હશે. વધુમાં ચાર વિશેષ વ્યક્તિત્વને ડોક્ટરેટ ઓફ લિટરેટર આયુર્વેદની ઉપાધિથી નવાજાશે. આ મહાનુભાવોને તેના સમાજ પ્રત્યેની નિહ:સ્વાર્થ વિશિષ્ઠ સેવા અને અનન્ય સિદ્ધિઓ બદલ આ પદવી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી રહી છે.

આ તબક્કે ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો આ ૨૮મો પદવીદાન સમારોહ તા. ૨૫ એપ્રિલના રોજ સવારે ૧૧:૦૦ કલાકે માનનીય રાજ્યપાલશ્રી ગુજરાતના આગમન સાથે શુભારંભ થશે, મુખ્ય દ્વારથી મંચ સુધી તેઓને સંન્માનપૂર્વક પ્રસ્થાન કરવામાં આવશે. મંચ પર પ્રાર્થના અને યુનિવર્સિટીના ગીતાનું ગાન

કરવામાં આવશે અને તમામ મંચસ્થ મહાનુભાવોને સ્મૃતિચિન્હથી નવાજવામાં આવશે. ત્યારબાદ

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિશ્રી વૈદ્ય મુકુલ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં

આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટી જેવી કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ટેકોનોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોધન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યા છે. આમ થવાથી આયુર્વેદ અન્ય વિદ્યાશાખાઓ સાથે મળી સમાજ ઉત્કર્ષ અને માનવવિકાસના નવા દ્વાર ખોલશે. આ તમામ તૈયારીઓને લઈ આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મુકુલભાઈ પટેલ દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી.

Related Articles

Back to top button