गुजरात

પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન બદલ સંજીવ રાજપૂતને સન્માનિત થવા બદલ અભિનંદન

 

જામનગર ખાતે મા મીડિયા હૉઉસ અને જેપીટીપીના સાહિયારે રાષ્ટ્રીય માનવતા ગૌરવ 2023 નું ભવ્ય આયોજન તેજેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કોરોના કાળમાં તેમજ સમાજને અને લોકોને ઉપયોગી કાર્યો કરતા અને પોતાનું યોગદાન આપનાર વ્યક્તિઓ/મીડિયાકર્મીઓનું સન્માન બૉલીવુડ ટેલિવુડના અભિનેતા-અભિનેત્રી દ્વારા પુરસ્કૃત કરી કરવામાં આવ્યું હતું.

છેલ્લા 20 વર્ષથી ઉપર પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલ અને ગુજરાતભરમાં સક્રિય અનુભવી પત્રકાર સંજીવભાઈ રાજપૂતને પણ મીડિયા જગતમાં તેમના અમૂલ્ય યોગદાન આપવા બદલ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ભારત ભરના અખબારો, ન્યૂઝ ચેનલ, વેબ મીડિયા તેમજ પત્રકારોના હિત માટે સક્રિય સંસ્થા એબીપીએસએસ સાથે સંકળાયેલા છે અને જીએનએ ન્યૂઝ એજન્સીના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળે છે. તેમના પત્રકારત્વના કાર્ય સાથે સતત સંકળાયેલા રહી રાજ્યભરના તમામ મીડિયા જગતમાં પોતાનું યોગદાન આપવા બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જે મીડિયા જગત માટે સરાહનીય છે. તેઓને મળેલ સન્માન બદલ અમે સંજીવભાઈ રાજપૂતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તેઓ વધુ જીવનમાં આગળ વધે અને પ્રગતિના શિખરો સર કરે તેવી આશા રાખીએ છીએ.

Related Articles

Back to top button