गुजरात

સાવધાન! મિનિટોમાં ડિલિવરીના નામે છેતરપિંડી, દૂધ-દહીંની થેલીઓ પરથી તારીખ ગાયબ કરવાનું ક્વિક કોમર્સ કંપનીઓનું કૌભાંડ | ahmedabad news quick commerce expired milk delivery fraud scam alert



Quick Commerce Scam Expired Milk Delivery: મિનિટોમાં પ્રોડક્ટની ડિલિવરી કરતી ક્વિક કોમર્સ કંપનીઓ દૂધ અને દહીં જેવી રોજિંદી વસ્તુઓમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી હોવાની વિગતો સામે આવી છે. આ કંપનીઓ એક્સપાયર થયેલી દૂધની થેલીઓ પરથી તારીખ ભૂંસીને ગ્રાહકોને ડિલિવરી કરી રહી છે. મોટાભાગના કિસ્સાઓમાં ગ્રાહકો આવી બાબતોમાં ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી ક્વિક કોમર્સ કંપનીઓએ આ પ્રકારની ગેરરીતિઓ વધારી દીધી છે.

ગ્રાહક ઘણા કિસ્સામાં ફરિયાદ કરવાનું ટાળે છે

એપ્લિકેશન દ્વારા મિનિટોમાં ગ્રાહકોના ઘર સુધી ઓર્ડર પહોંચાડતી આ કંપનીઓ દ્વારા એક થી બે દિવસની વપરાશની મર્યાદા ધરાવતા દૂધ, દહીં તેમજ શાકભાજીમાં છેતરપિંડી કરવાના કિસ્સા દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જ્યારે કોઈ ગ્રાહક એપ્લિકેશન પર દૂધનો ઓર્ડર કરે છે, ત્યારે કંપનીના ડાર્ક સ્ટોરમાં એક દિવસ પહેલાં એક્સપાયર થઈ ગયેલી દૂધની થેલી પર છાપેલી કિંમત, પેકિંગની તારીખ અને એક્સપાયરી ડેટ જેવી વિગતો બ્લર (અસ્પષ્ટ) કરી દેવામાં આવે છે અને ગ્રાહકને આવું દૂધ સપ્લાય કરાય છે. સામાન્ય રીતે ગ્રાહકો એક થી બે થેલી દૂધ મંગાવતા હોવાથી, વપરાશ સમયે દૂધ બગડેલું નીકળે તો પણ કસ્ટમર કેરમાં ફરિયાદ કરવાનું ટાળે છે. ગ્રાહકોના આ વલણનો ફાયદો ઉઠાવીને કંપનીઓને છેતરપિંડી કરવાનું મોકળું મેદાન મળી ગયું છે.

ક્વિક કોમર્સ કંપનીના સ્ટોરમાં કામ કરતા કર્મચારીએ શું કહ્યું?

એક ક્વિક કોમર્સ કંપનીના સ્ટોરમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યું કે, કંપનીઓ જે-તે વિસ્તારની જરૂરિયાત અને વપરાશના અંદાજ ગણતરીના આધારે દૂધ, દહીં કે શાકભાજીનો સ્ટોક મંગાવે છે. જોકે, ઘણીવાર અંદાજ પ્રમાણે પ્રોડક્ટ્સનું વેચાણ ન થતાં સ્ટોક પડી રહે છે. આવા સંજોગોમાં નુકસાનથી બચવા માટે કંપનીના મેનેજર થેલી પર લખેલી વિગતો ભૂંસી નાખે છે અથવા તે વાંચી ન શકાય તેવી અસ્પષ્ટ કરી દે છે. ત્યારબાદ જ્યારે નવો ઓર્ડર આવે, ત્યારે સૌથી પહેલાં આ જૂનું પડી રહેલું દૂધ, દહીં કે શાકભાજી સપ્લાય કરી દેવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે લગભગ તમામ નામાંકિત ક્વિક કોમર્સ કંપનીઓ આ પ્રકારની ખોટી પ્રેક્ટિસ કરી રહી છે.

જો ગ્રાહકોને દૂધ કે દહીંની થેલી પર દર્શાવેલી વિગતો ભૂંસેલી અથવા અસ્પષ્ટ જણાય, તો તેમણે તાત્કાલિક કંપનીના કસ્ટમર કેરમાં ફરિયાદ કરવી જોઈએ. આ સિવાય ગ્રાહકો આવી પ્રોડક્ટનો સ્વીકાર કરવાનો ઇનકાર કરીને રિફંડની માંગણી પણ કરી શકે છે.



Source link

Related Articles

Back to top button