गुजरात

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું


વડોદરાઃ નર્મદા નદીમાં મળતા અને સી ફૂડ માર્કેટમાં વ્યાપક રીતે વેચાતા ઝીંગા અને કરચલા જેવા ક્રસ્ટેશિયન પ્રાણીઓમાં સૂક્ષ્મ પ્લાસ્ટિક કણો (માઇક્રોપ્લાસ્ટિક) અને ભારે ધાતુઓની ચિંતાજનક હાજર હોવાનું તારણ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગની એમએસસીની  વિદ્યાથની રિયા બિપિનભાઈ જોષી દ્વારા ડા. નિકેતા મહેતા ના માર્ગદર્શન હેઠળ થયેલા સંશોધનમાં સામે આવ્યું છે.

સંશોધનના ભાગરુપે  નર્મદા નદીના ગરુડેશ્વરથી લઈને હાંસોટ સુધીના ૧૦ વિસ્તારોમાંથી ઝીંગા અને કરચલાના ૫૦ જેટલા નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના  શરીરના અલગ અલગ ભાગોની તપાસ કરવામાં આવી  હતી.



Source link

Related Articles

Back to top button