गुजरात
અમદાવાદઃ વહેલી સવારે કુખ્યાત પ્રદીપ માયાની હત્યા થતાં ચકચાર, કોણે કરી નાંખી હત્યા?
અમદાવાદઃ શહેરના ચાણક્યપુરીમાં વહેલી સવારે કુખ્યાત પ્રદીપ માયાની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. સાળા અને બનેવી વચ્ચે બોલાચાલી થતાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અંગત અદાવતમાં મર્ડર થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
સોલા પોલીસે ગણતરીના સમયમાં આરોપીની અટકાયત કરી લીધી છે. સોલા પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.