અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ | Central Cabinet Clears Ahmedabad Metro Phase 2A Connecting Airport and Koteshwar

![]()
Ahmedabad Metro Phase 2A: કેન્દ્રીય કેબિનેટ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2Aને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળતાં જ હવે અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ સીધું મેટ્રો કનેક્ટિવિટી સાથે જોડાઈ જશે, જેનાથી સ્થાનિક મુસાફરો તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓને મોટી રાહત મળશે.
6 કિલોમીટરના રૂટ પર પાંચ નવા સ્ટેશન બનશે!
મળતી માહિતી અનુસાર, આ નવો મેટ્રો કોરિડોર કોટેશ્વરથી શરૂ થઈને સીધો ઍરપૉર્ટ સુધી પહોંચશે. 6 કિલોમીટર લાંબા આ આખા રૂટ પર મુસાફરોની સુવિધા માટે 5 નવા સ્ટેશનો બનાવવામાં આવશે. જેમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી, સરદાર નગર અને ઍરપૉર્ટ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
આ પ્રોજેક્ટના આયોજનમાં 4 એલિવેટેડ (જમીનથી ઉપર) સ્ટેશનો બનાવવામાં આવશે, જ્યારે ઍરપૉર્ટની સુરક્ષા અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને 1 અન્ડરગ્રાઉન્ડ (જમીનની અંદર) સ્ટેશન તૈયાર કરવામાં આવશે. આગામી 4 વર્ષની અંદર આ ફેઝની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી લેવામાં આવશે. નોંધનીય છેકે, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો રેલ નેટવર્ક વિસ્તરીને કુલ 77.63 કિલોમીટરનું થઈ જશે.


