गुजरात

ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી | Huge rally of saints and monks in with loud demand for Girnarprotection



ગિરનાર પર જૈન સંપ્રદાય પ્રેરિત અમુક સંસ્થાઓનો કબજો દૂર કરવાની માંગ : ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા અનધિકૃત બાંધકામની વિગતો સાથે જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું; વનવિભાગની કનડગત બંધ કરવા સહિત 60 માગણી

જૂનાગઢ, : જૂનાગઢના ગિરનાર તીર્થ પર જૈન સંપ્રદાય પ્રેરીત અમુક સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર કબ્જો તેમજ અવાર-નવાર સનાતનનું અપમાન કરવામાં આવી રહ્યું છે જેની સામે સાધુ-સંતો તેમજ વિવિધ સંગઠનોએ એકત્ર થઈ વિશાળ રેલી યોજી હતી. સરદારબાગથી કલેક્ટર કચેરી સુધી જઈ 60 માંગણીઓ અંગે કલેક્ટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. જેની નકલ ચારેય પીઠના શંકરાચાર્ય તેમજ સંત સમિતી, અખાડા પરિષદને મોકલવામાં આવી છે.

ગિરનાર સનાતન ધર્મનો પવિત્ર તીર્થ સ્થાન છે. જ્યાં જૈન સંપ્રદાય પ્રેરીત અમુક સંસ્થાઓ-તત્વો દ્વારા સનાતન વિરૂધ્ધની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. સનાતની ધાર્મિક જગ્યાઓ પર ગેરબંધારણીય રીતે કબ્જા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ગિરનાર પાછળની સીડી પર આવી રીતે જગ્યા મેળવવાની પેરવી થઈ રહી છે જેની સામે સનાતની સંસ્થાઓ તેમજ સાધુ-સંતોમાં નારાજગી વ્યાપી છે. ગિરનાર સંરક્ષણ સમિતી દ્વારા આ પ્રવૃતિ સામે આજે રેલી યોજવામાં આવી હતી. બપોર બાદ આકરા તાપમાં સરદારબાગ નજીક મોટી સંખ્યામાં સાધુ-સંતો, વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ સનાતનીઓ એકત્ર થયા હતા. 

‘ગિરનાર બચાવો, ગિરનાર સનાતનનું ગૌરવ છે, એકતા સાથે ગિરનારની રક્ષા, અધિકાર માટે લડશું પણ શાંતિથી, ધર્મની સાથે કોઈ સમજુતી નહી, અમારો ઈતિહાસ અમારો અધિકાર’ સહિતના સુત્રો લખેલા પ્લેકાર્ડ સાથે વિશાળ રેલી યોજી હતી જે કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં કલેક્ટર મારફત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતનાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સીતાવનના બંને દરવાજાની સાઈડમાં જંગલની હદમાં બે ડેરી બનાવવામાં આવી છે ત્યાં ખોટી રીતે ચરણ પાદુકા મુકી સિમેન્ટ-કોંક્રિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. એક જગ્યાને દિશા કલ્યાણ અને બીજી જગ્યાને કેવલ જ્ઞાાન તરીકે ઓળખાવવામાં આવે છે તે તાત્કાલીક દુર કરવું. ગૌમુખી ગંગા તરફ જતા રામજી મંદિર વાળી જગ્યાથી આગળ જૈન શ્વેતાંબર સંપ્રદાય અને તેના વહિવટકર્તા દેવચંદ લક્ષ્મીચંદ પેઢી દ્વારા 1980થી અત્યાર સુધીમાં અંદાજે 60,000ચોરસ ફૂટનું વન વિભાગની હદમાં બાંધકામ કરવામાં આવેલું છે ત્યાં સ્મારક બનાવી કબ્જો કર્યો છે તે તાકિદે દુર કરવું. ગિરનાર ક્ષેત્રમાં જૈનમુનીઓના અગ્નિસંસ્કાર કે સમાધી સ્થાન ન બનાવવા દેવા, ગિરનાર પર આવેલા કુંડને તાકિદે ખુલ્લા કરાવવા, ધાર્મિક જગ્યાઓમાં વન વિભાગની કનડગત બંધ કરવી સહિતની 60 માંગણીઓ કરવામાં આવી હતી. આ આવેદનપત્રની નકલ ચારેય પીઠના શંકરાચાર્ય, અખાડા પરિષદ, સંત સમિતી સહિતનાઓને મોકલવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button