गुजरात

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગર મનપા દ્વારા શેરી નાટકનું આયોજન

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તા. 21.8.2022 થી તા. 15.8.2022 સુધી સમગ્ર શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર હોય જેના ભાગરૂપે કમિશનર વિજય કુમાર ખરાડી ના માર્ગદર્શન હેઠળ તા. 2 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી જામનગરના અલગ-અલગ જાહેર ચોક વિસ્તારોમાં શેરી નાટક નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તા. 2 ઓગસ્ટ થી નિયમિત સાંજે 7.00 થી 8.00 દરમિયાન શહેરના વોર્ડ નંબર 1 થી 16 માં શેરી નાટકો યોજાનાર છે. જેમાં તા. 2 ઓગસ્ટના રોજ વોર્ડ નં. – 5 ડી.કે.વી.ચોક સર્કલ, તા. 3 ઓગસ્ટ ના રોજ વોર્ડ નં. – 8, રણજીતનગર પટેલ સમાજ ચોકમાં યોજાશે.ઉપરાંત તા. 4.8.2022 ના રોજ વોર્ડ નં. – 7 એમ્યુઝમેન્ટ પાર્ક જંકશન, તા. 5.8.2022ના રોજ વોર્ડ નં. 9, પંચેશ્વર ટાવર ચોક, તા. 6.8.2022 ના રોજ વોર્ડ નં.13 હવાઈ ચોક, તા. 7.8.2022 ના રોજ વોર્ડ નં. 11 ગુલાબ નગર મેહુલ મેડિકલ વાળો ચોક માં યોજાશે.ઉપરાંત તા. 8.8.2022ના રોજ વોર્ડ નં.-4 ખાતે ગાયત્રી ચોક, (કિલ્લોક વિદ્યાલય) પાસે, તા 9.8.2022ના રોજ વોર્ડ નં. 15-16 કીર્તિ પાન પાસે, તા. 10.8.2022 ના રોજ વોર્ડ નં. 6 દિગ્જામ સર્કલ ચોક, તા. 11.8.2022 ના રોજ વોર્ડ નં. – 2 રામેશ્વર ચોક ખાતે ,તા.12.8.2022 ના રોજ વોર્ડ નં.- 3 પટેલ સમાજ ચોક વિકાસ ગૃહ રોડ ,તા.13.08.2022 ના રોજ વોર્ડ નં. 14, હિંગળાજ ચોક ખાતે શેરીનાટક યોજાશે.

Related Articles

Back to top button