गुजरात

ભારતના અસ્પૃશ્ય સમાજ વતી, તા – ૧૬-૦૮-૨૦૨૨ સમય = ૪:૦૦કલાકે કોંગ્રેસ ભવન અમદાવાદ ખાતે પધારવા મૂકેશભાઈ શાહ ( નેતાજી) નો અનુરોધ

અમદાવાદ. ગુજરાત

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

રાજસ્થાનના જાલોરમા પાણી પીવાના મુદ્દે એક નવ વર્ષના અસ્પૃશ્ય બાળક ઇન્દ્રને વર્ણ વ્યવસ્થાના સર્વોચ્ય શિખરે બેઠેલા શિક્ષકે ઢોર માર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો,જે ઘટનાને દબાવવાના પ્રયત્નના ભાગ રૂપે રાજસ્થાનની કોંગી ગેહલોત સરકારે દિવસોના દિવસ સુધી ફરિયાદ દાખલ ન કરી,
ન્યાયની માંગણી કરતા સામાજિક આગેવાનો તથા તેમના મતે જે અસ્પૃશ્ય છે તે તમામ તથા પીડિત પરિવાર પર પોલીસની લાકડીઓના ઘા ઝીંક્યા જેના વિરોધમા સમગ્ર ભારતના અસ્પૃશ્ય સમાજ વતી પુના કરારથી અસ્પૃશ્યતા નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લેનાર કોંગ્રેસ પાર્ટી ને સવાલ છે.

૦ ‌કે આ દેશમા અસ્પૃશ્યતા ક્યાં સુધી?

‌૦ રાજસ્થાનની કોંગી ગેહલોત સરકાર ને સવાલ છે કે તમારા
રાજ્ય મા અસ્પૃશ્યતા ક્યાં સુધી?

૦ ‌ભારત પર ૬૦ વર્ષ રાજ કરનાર ગાંધી અને કોંગ્રેસ પાર્ટી ને સવાલ છે કે આ દેશ મા અસ્પૃશ્યતા ક્યાં સુધી?

૦ ‌પુના કરારથી અસ્પૃશ્યતા નાબૂદી માટે પ્રતિજ્ઞાબધ કોંગ્રેસ પાર્ટી ને સવાલ છે કે તમારી પુના કરાર થયા ના ૧૦ વર્ષ સુધી મા અસ્પૃશ્ય નાબૂદ કરીશું જેવી આપે પ્રતિજ્ઞા કરી હતી જે કરારનો ભંગ કોંગ્રેસ પાર્ટીએ કરેલ છે જેનો જવાબ આ અસ્પૃશ્ય સમાજને કયારે આપશો?

ગુજરાતના તમામ શોષિત પીડિત વંચિત વર્ગને અપીલ છે કે આ તમામ સવાલોના જવાબ મેળવવા
તારીખ ૧૬-૦૮-૨૦૨૨ ના દિવસે
સાંજે ૪:૦૦ કલાકે
પાલડી સ્થિત આવેલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ બહાર દેખાવ તથા વિરોધના કાર્યક્રમમા જોડાશો તે અપીલ.

ભારતના અશપૃશ્ય સમાજ વતી મૂકેશભાઈ શાહ (નેતાજી ) 💐नेताजी💐 મૂકેશભાઈ શાહ
ગુજરાત પ્રદેશ
Mo. No. 9725097414

Related Articles

Back to top button