गुजरात

ગુજરાત હાઈકોર્ટે સુરતની સુમુલ ડેરીમાં રાજ્ય સરકારે કરેલી બે પ્રતિનિધિઓની નિમણૂકને રદ ઠરાવી

ગુજરાત હાઈકોર્ટે સુરતની સુમુલ ડેરીમાં રાજ્ય સરકારે બે પ્રતિનિધિઓની કરેલી નિમણૂકને રદ કરાવી છે. કોર્ટે એક મહત્તવપૂર્ણ નિર્ણય આપ્યો છે. સમગ્ર કેસ ની હકીકત એવી છે કે તારીખ 18.8.2020 ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર, સુરત દ્વારા રજીસ્ટ્રાર, સહકાર વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે સુમુલ ડેરીમાં બે પ્રતિનિધિ નીમવા જરૂરી છે તેમાં રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતને પ્રતિનિધિ નીમવા માટે ની ભલામણ આવેલી છે.

આ બાબતે રજીસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તારીખ 21.8.2020 ના રોજ કારણદર્શક નોટિસ સુમુલ ડેરીને ઇસ્યુ કરવામાં આવેલ. તેમાં સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જવાબ આપે કે મંડળીના પેટા નિયમો અન્વયે તેઓને આ બાબતે અભિપ્રાય આપવાનો થતું નથી તથા ડેરી નું બોર્ડ હજી નિમાયું નથી. આ કારણદર્શક નોટિસ માં ચૂંટાયેલા બે સભાસદો ભરત પટેલ અને સુનિલ ગામીત દ્વારા વાંધા અરજી આપવામાં આવેલ જે રજિસ્ટાર દ્વારા નામંજૂર કરવામાં આવેલ હતી. અને રજિસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તારીખ 24.8.2020 ના રોજ હુકમ કરવામાં આવેલ જેમાં સરકાર ના પ્રતિનિધિ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતની નિમણૂક કરવામાં આવેલ હતી.

તેનાથી નારાજ થઈ ચૂંટાયેલા બે સભાસદો- ભરત પટેલ અને સુનીલ ગામીતે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો હુકમ કરેલો જેમાં જણાવેલ કે તારીખ 4.9.2020 રોજ થનારી ચૂંટણીમાં સરકારના બે પ્રતિનિધિના મત અલગ સ્થિતિમાં રાખવા અને ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી નું પરિણામ જાહેર કરવું નહીં. ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કેસની આખરી સુનાવણી કરેલી જેનો ચુકાદો આજે કેસમાં આપેલ છે.

આ કેસના મુખ્ય અવલોકનો નીચે પ્રમાણેના છે.

1. આ કેસના વિશિષ્ટ તથ્યોને આધારે અરજદારો કેસ કરવા ક્ષમતા ધરાવે છે, એટલે કે તેઓને locus standi છે.2.ગુજરાત હાઈકોર્ટે જિલ્લા રજિસ્ટર, સુરત અને રજીસ્ટ્રાર, સહકાર વિભાગ ની ઓરિજિનલ ફાઈલ એટલે સરકાર ની ફાઈલ મંગાવેલ તથા તેની ચકાસણી ઉપરથી એવું તારણ કાઢેલ છે કે રજીસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આવેલ નથી અને જિલ્લા રજિસ્ટર, સુરત ના પત્ર ને ધ્યાને લઇ પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવેલ છે. સહકારી કાયદા ની કલમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કલમ-80(2) નીચે પ્રતિનિધિઓની નિમણુક કરતી વખતે રજીસ્ટ્રાર, સહકારી મંડળી દ્વારા સ્વતંત્ર તારણ ઉપર આવવું અનિવાર્ય છે.

Related Articles

Back to top button