गुजरात

34 વર્ષીય કોન્સ્ટેબલ મનીષાએ ઘરમાં જ કરી લીધો આપઘાત, પતિ-પુત્ર ગયા હતા લગ્નમાં

અમદાવાદઃ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસે આત્મહત્યા કરી લેતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. મનીષા વિજયસિંહ ચૌહાણ નામની ૩૪ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે.

મણિનગર ગોરની કુવાની કેનાલ પર સ્થિત કર્મભુમિ રો હાઉસના મકાનમા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મહિલા મળી આવી હતી. ત્રણેક દિવસથી લટકી રહેલ લાશની અસહ્ય દુગઁધ મારતા પાડોશીઓએ પોલીસ વિભાગને જાણ કરી હતી. પતિ અને પુત્ર જામનગર મા લગ્નપ્રસંગે ગયા હોવાનું સામે આવ્યું છે. મણિનગર તેમજ ખોખરા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

Related Articles

Back to top button