गुजरात

વલસાડ: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

વલસાડ: જિલ્લાના ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ચારથી વધુ લોકોને ઈજા થઈ છે. મૃતકોમાં ઉમરગામ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશભાઈ ધોડી અને તેમના પત્નીનું પણ ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો છે.

બનાવની વિગત મુજબ, વલસાડ જિલ્લાના ભીલાડ નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભીલાડ ફાટક નજીક એક કન્ટેનર પૂર ઝડપે હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું. કન્ટેનર ચાલકે ગફલતભરી રીતે હંકારી અને એક ટેમ્પોને ટક્કર મારી હતી. ટેમ્પોને ટક્કર વાગતાં જ ટેમ્પો હાઇવેની અન્ય સાઈડમાં ફંગોળાયો હતો. આથી ટેમ્પો હાઇવે પસાર થતી એક લક્ઝરી સાથે અથડાયો હતો. જેથી આ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ટેમ્પોમાં સવાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું ગામના મુકેશભાઈ ધોડી અને તેમના પત્ની સહિત ટેમ્પોમાં સવાર અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Related Articles

Back to top button