गुजरात

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 22  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 19  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,909 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી જે રાહતના સમાચાર છે.   આજે  3,11,145 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 189 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 184 નાગરિકો સ્ટેબલ છે. 8,15,909 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. સુરત કોર્પોરેશનમાં 5, વલસાડ 5, અમદાવાદ કોર્પરેશન 3, નવસારી 3, કચ્છ 2, ગાંધીનગર 1, ખેડા 1, રાજકોટ કોર્પોરેશનમાં 1,  વડોદરા કોર્પોરેશનમાં 1  કેસ નોંધાયો છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 10 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2711  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 22437 નાગરિકોને રસીનો પ્રથમ અને 65292 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 63649 નાગરિકોને રસીનો પ્રથમ અને 157046 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,11,145 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,57,12,208 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જૂનાગઢ,   જૂનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર , તાપી અને વડોદારમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

Related Articles

Back to top button