રેમડેસિવિર ઇન્જેકશન સંપુર્ણ ફ્રી કરવા, મા કાર્ડ આયુષ્માન કાર્ડ ને મર્જ કરી કોવિડ ના દર્દીઓ ની પ્રાઈવેટ હોસ્પિટલો મા ફ્રી ટ્રીટમેન્ટ કરાવવા બાબતે બહુજન આર્મી દ્વારા રજૂઆત કરાઈ
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
રેમડેસિવિર ઇન્જેકશન સંપુર્ણ ફ્રી કરવા, મા કાર્ડ આયુષ્માન કાર્ડ ને મર્જ કરી કોવિડ ના દર્દીઓ ની પ્રાઈવેટ હોસ્પિટલો મા ફ્રી ટ્રીટમેન્ટ કરાવવા બાબતે બહુજન આર્મી દ્વારા માંગણી કરાઈ
વૈશ્વિક મહામારી Covid-19 ને ડોઢ વર્ષ જઈ ગયુ છે અને હાલ દેશ ભરમા કોવિડ ની બિજી લહેર અતી ગંભીર છે ત્યારે સરકારી શ્રી દ્વારા કોવિડ ની અસર ને નાબુદ કરવા રેમડેસિવિર ઇન્જેકશન વિતરણ કરવામા આવી રહ્યા છે તે કોવિડ મહામારી પર તદન અસરકારક છે આપ શ્રી પાસે મારી લાગણી અને માંગણી છે કે કોવિડ નુ સંક્રમણ છેલ્લા ડોઢ વર્ષ થી ચાલી રહ્યુ છે ત્યારે ગુજરાત ના મધ્ય વર્ગ ના લોકો પાસે ખાસ કોઈ કામ ધંધો નથી તો આપ સાહેબ શ્રી કોવિડ ના દર્દીઓ ને રેમડેસિવિર ઇન્જેકશન ગુજરાત મા સંપુર્ણ પણે ફ્રી વિતરણ કરવામા આવે એવી માંગણી બહુજન આર્મી ના અધ્યક્ષ લખનભાઇ ધુવા દ્વારા કરવામાં આવી
સાથે મા અમ્રુતમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ ને પ્રાઈવેટ હોસ્પિટલો મા મર્જ કરી Covid-19 ના દર્દીઓ ની પ્રાઈવેટ હોસ્પિટલો મા ફ્રી સારવાર કરવામા આવે એવી આપ સાહેબ શ્રી પાસે મારી લાગણી અને માંગણી છે..
લખન ધુવા…
સંસ્થાપક બહુજન આર્મી