गुजरात

અમદાવાદ : ધુળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો ખેર નથી! પોલીસ કરશે કાર્યવાહી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંક્રમણની વચ્ચે એક બાજુ સરકારે ધુળેટીની ઊજવણીઓ અને રંગોત્સવના કાર્યક્રમો કરવાની મનાઈ ફરમાવી છે ત્યારે રાજ્યનાં સૌથી મોટા શહેર અમદાવાદમાં પોલીસે પણ તેનો અમલ કરાવવા માટે કમર કસી લીધી છે. અમદાવાદ શહેરમાં ધુળેટીની ઊજવણી અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુંછે. આ જાહેનામાં મુજબ જાહેરમાં આવતા જતા રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય ન તો કાદવ કિડ કે રંગ મિશ્રિત રપાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય

પોલીસે ધુળએટીની રજાના દિવસે જાહેર ઉજણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામાં અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેની પ્રદક્ષિણ કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા માટે પોલીસે જણાવ્યું છે.

આ જાહેરનામું તારીખ 28મીથી અમલમાં આવશે અને તારીખ 29મી માર્ચને રાત્રે 00.00 કલાક સુધી એટલે કે રાત્રે 12.00 વાગ્યા સુધી અમરલમાં રહેશે. દરમિયાન હોળી અને ઘુળેટી દરમિયાન શહેરના માર્ગો પર પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે. પોલીસ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરશે.

Related Articles

Back to top button