જંબુસર
રીપોર્ટર – સાજીદ મુન્શી
જંબુસર નગરની જે. એમ.શાહ.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.આઈ.એમ.ભાના ને શિક્ષણ ના ક્ષેત્રમા મહત્વના યોગદાન બદલ એસોશિએશન ઑફ મુસ્લિમ પૉફેશનલ બેગલોર તરફથી લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે સમગ્ર ભારતમાંથી 10 શિક્ષિત વ્યક્તિઓ ને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતમાંથી તેઓ એકમાત્ર છે
જંબુસર તાલુકાના દરિયા કિનારે આવેલ પ્રાચીન કાવી ગામમાં જન્મ લઇ એક સારૂ શિક્ષણ પ્રાપ્ત કરી રાજપીપળા કોલેજ માં અધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ છેલ્લા આઠ વર્ષથી જે એમ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જંબુસર મા આચાર્ય તરીકે કાર્યરત છે. એમ એસ યુનિવર્સિટી વડોદરા માં બી.એ અને એમ.એ.માં પ્રથમ આવ્યા બદલ સુવર્ણચંદ્રક અને યુનિવર્સિટી ફેલોશીપ અને બીજા પાંચ એવોર્ડ મળ્યા છે. આ અગાઉ તેમને રાષ્ટ્રપતિના હાથે ઇન્દિરા ગાંધી નેશનલ એવોર્ડ ભારત ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.એમને મળેલી આ વિશિષ્ટ સિદ્ધિ બદલ જનતા કેળવણી મંડળ જંબુસરના ચેરમેન તથા હોદ્દેદારો અને સમગ્ર કોલેજ પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.