गुजरात

દશામાનું વ્રત પૂર્ણ, પૂજા અર્ચના કર્યા બાદ દશામાંની ‘અવદશા’ જોઇને ભક્તોની શ્રદ્ધા પર આવશે શરમ

અમદાવાદ : આજે દશામાંનું વ્રત પૂર્ણ થયું છે, લોકોએ શ્રધ્ધા આસ્થા સાથે પૂજા કરી હતી. પરંતુ વ્રત પૂર્ણ થતાં જ દશામાંની મૂર્તિની અવદશા જોવા મળી છે. વ્રત શરૂ થતાં લોકો દશામાંની મૂર્તિની સ્થાપના કરે અને વ્રત પૂર્ણ થયા બાદ મૂર્તિ નું વિસર્જન કરે છે.પરંતુ જેટલી શ્રધ્ધાથી પૂજા કરી છે એટલી શ્રધ્ધાથી યોગ્ય વિસર્જન કરવું જોઈએ, પરંતુ દશ્ય કઈ અલગ જોવા મળી રહ્યા છે.

AMC દ્વારા આ વર્ષે દશામાંની મૂર્તિઓનું ઘરે વિસર્જન કરવા અપીલ કરાઈ હતી. દશામાંની મૂર્તિની અવદશા જોવા મળી છે. દશામાંની મૂર્તિઓ રસ્તા પર રઝળતી હાલતમાં જોવા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટિમ દ્વારા રસ્તા પરથી મૂર્તિ દૂર કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે.

સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ છે. ત્યારે લોકો સાબરમતી નદીમાં વિસર્જન ન કરે તે માટે સિક્યુરિટી રાખી દેવામાં આવી હતી રસ્તા પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button