गुजरात
વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ


શહેરમાં બે વર્ષ અગાઉ વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરની ઘટનાને પગલે નદીની જળવહન ક્ષમતા વધારવા માટે હાથ ધરાયેલી કામગીરી હવે બીજા તબક્કામાં પ્રવેશી છે.
વિશ્વામિત્રી નદીના પુનરોદ્ધાર અને સંરક્ષણ માટે ૧૨ સ્થળોએ ગેબિયન વોલ સહિતના સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન છે, જેના ભાગરૂપે હાલ શહેરના ચેતક બ્રિજ, સમા-સાવલી રોડ, મંગલ પાંડે બ્રિજ સહિત કુલ સાત સ્થળોએ કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક વર્ષઅગાઉ પ્રથમ તબક્કામાં નદીને ઊંડી અને પહોળી
કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.



