સયાજીપુરા વુડાના મકાનોના રહીશોનો પાણી મુદ્દે હોબાળો : કોર્પોરેશન કચેરીએ નાહવા ધોવા જશે તેવી ચીમકી | Residents of Sayajipura Wuda’s houses protest over water issue

![]()
Vadodara Dirty Water : વડોદરા શહેરના આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી બિલકુલ પાણી આવતું બંધ થયું છે. આ અંગે સ્થાનિકોએ આજે હોબાળો મચાવ્યો હતો. આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો ન્હાવા-ધોવા માટે પાલિકાની કચેરીએથી પરવારીને કામ ધંધે જશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
આજવા રોડ પર સયાજીપુરા પાણીની ટાંકી સામેના વુડાના જર્જરિત મકાનોમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી આવતું નથી. આ અંગે ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે અન્ય કોઈના દબાણથી બીજે મોકલી દેવામાં આવતી હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ આજે ફરી એકવાર સ્થાનિક રહીશોએ પાણી મુદ્દે હોબાળો મચાવ્યો છે. આ અંગે સ્થાનિકો જ્યાં સુધી એકત્ર થઈને તંત્રને ચીમકી નહીં આપે ત્યાં સુધી કોઈ કામ થતું નથી. જો આગામી ચાર દિવસમાં પાણીની સમસ્યાનો કોઈ નિકાલ નહીં આવે તો સ્થાનિકો નહાવા-ધોવાની કાર્યવાહી કરવા માટે પાલિકા વડી કચેરીનો ઉપયોગ કરશે. આમેય તમામ સરકારી અને પાલિકા કચેરી પ્રજાની જ હોવાનું કહેવાય છે.



