गुजरात

સુરતમાં કોરોનાનાં કેસમાં વધારો થતા રત્નકલાકારોએ ફરીથી હિજરત શરૂ કરી

સુરત : હીર ઉધોગમાં વધતા કેસને કારણે તંત્ર દ્વારા સોમવારથી સાત દિવસ માટે બંધ કરાવી દીધા છે. ત્યારે જે રીતે કેસ વધી રહ્યા છે ત્યારે તંત્ર દ્વાર બંધ કરાવેલ કારખાના સાત દિવસ બાદ પણ નહિ ખુલે તેવી દેહશત વચ્ચે સુરતમાં રહેતા સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતના રત્નકલાકર ગતરોજ રાતની ખાનગી બસ સાથે એસટી અને ખાસ કરીને પોતાના વાહનો સાથે વતનની વાટ પકડી હતી.

કોરોન વાયરસ કારણે ચાલેલા લાંબા લૉકડાઉન બાદ હીરા ઉધોગ તો શરૂ થયો પણ સતત હીરા ઉધોગ સાથે સંકળાયેલા લોકોના કોરોના સક્ર્મણમાં આવતા સતત દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો. જોકે, અહીંયા નિયમો નહિ પાડતા હોવાનું પણ સામે આવતા વધી રહેલા કોરોના કેસ કંટ્રોલમાં કરવા માટે તંત્ર દ્વારા આગામી સાત દિવસ માટે હીરા ઉધોગ બંધ કરવામાં આવ્યો હતો રોજીરોટીની તપાસમાં સુરત આવીને વસેલા લોકો લોકડાઉન દરમિયાન વતન જતા રહ્યા હતા. પણ વેપાર ઉધોગ શરૂ થતાની સાથે સુરત ખાતે આવ્યા હતા પણ જે રીતે કેસ વધતા તંત્ર દ્વારા હીરા ઉધોગ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે વધી રહેલા કેસને કારણે રત્નકલાકરોમાં એક દહેશત ઉભી થઇ હતી કે, એક અઠવાડિયા બાદ પણ આ ઉધોગ પાછો શરૂ થાય તેમ નથી .

આ કારીગરોની આવક બંધ હોવાને લઈને પોતાના માથે દેવ થઇ જાય જેને તેવું વિતારીને પોતાના પરિવાર સાથે પોતાની સુરક્ષા માટે ગતરોજથી રત્નકલાકર ખાનગી બસ અને એસટી સાથે પોતાના ખાનગી વાહનો સાથે વતન તરફ ફરીથી એકવાર પલાયન કરી રહ્યાં છે .જોકે ,સૌરાષ્ટ સાથે ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકો સુરતના વરાછા કતારગામ વિસ્તરમાં રહે છે.

Related Articles

Back to top button