गुजरात

વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 lakh stolen from locked house on Vadodara’s Waghodia Road



Vadodara Theft Case : વડોદરાના વાઘોડિયા રોડ બાપોદ જકાતનાકા પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ સુંદરભાઈ પંચાલ ફ્લોર મિલ ચલાવે છે. ગત 17 મી તારીખે પત્ની અને પુત્ર સાથે મકાનને તાળું મારી તીર્થ સ્થળે દર્શન કરવા ગયા હતા અને 20 મી તારીખે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે દરવાજાનો નકૂચો તૂટેલો હતો. ચોર ટોળકી ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિમત રૂપિયા 1.91 લાખના ચોરી ગઈ હતી. જે અંગે બાપોદ તપાસ હાથ ધરી છે.

ચોરીના અનેક બનાવની વિગત એવી છે કે તરસાલી અશોક પાર્કમાં રહેતા શિવેશ અરૂણભાઇ મિશ્રા મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. ગત 22મી તારીખે રાત્રે 10:00 વાગે પરિવાર સાથે તેઓ વતન બિહાર ગયા હતા. બીજે દિવસે સોસાયટીના રહીશે ચોરીની જાણ કરી હતી. બિહારથી પર્વત આવીને તેમણે ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી એમાં સોના ચાંદીના દાગીના ભગવાનની મૂર્તિઓ મળી કુલ 1.68 લાખની ચોરી થઈ હોવાનું પોલીસે નોંધ્યું છે.



Source link

Related Articles

Back to top button