જામનગરની હિન્દુ સેના ગૌરક્ષા વિભાગે ગત મોડી રાત્રે લાલપુર પંથકમાં 13 ગૌવંશને બચાવ્યા | Jamnagar’s Hindu Sena Gau Raksha rescued 13 cows in Lalpur late last night

![]()
Jamnagar : ગુજરાતમાં કતલખાને લઈ જવાના તેમજ કતલ કરવાના બનાવો વધવા પામ્યા છે જેમાં જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગૌવંશને વેચવાનું અને કતલખાને પહોચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેની માહિતી રાજકોટ ગૌરક્ષા પ્રમુખને મળી હતી.
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં 10થી વધુ ગૌવંશને વેચવાના તથા કતલખાને પહોંચાડવાની પૂરી બાતમીને આધારે જામનગર શહેર હિન્દુ સેના યુવા ઉપપ્રમુખ તેમજ જામનગર જિલ્લા ગૌરક્ષા પ્રમુખ અને શહેર ગૌરક્ષા પ્રમુખ, જિલ્લા પ્રભારી તેમજ હિન્દુ સેના સૈનિકોએ ગૌવંશ બચાવ કાર્યમાં ભાગીદાર બન્યા હતા. આ ગૌવંશ કોઈ ગાડીમાં નહીં પરંતુ જંગલ વિસ્તારમાં ખુલ્લા બાંધી રાખેલ જેનું વહેચાણ કરાયા બાદ કતલખાને મોકલતા હોય છે.
સંપૂર્ણ બચાવ કામગીરીમાં હિન્દુ સેના ગુજરાત યુવા પ્રમુખની ખાસ હાજરીમાં 13 ગૌવંશને હિન્દુ સેનાએ આબાદ બચાવી લઈ બેડ ગામના ગૌંભકતની મદદથી તેમના ટ્રકમાં બચાવેલા ગૌવંશને લાલપુરથી ખંભાળિયા પહોંચાડ્યા હતા. જ્યાં ખંભાળિયા હિન્દુ સેના શહેર પ્રમુખ અને તેની ટીમ દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાં સુરક્ષિત રાખેલ છે.

