गुजरात
પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown as Boat Capsizes in Dev Dam in Panchmahal

![]()
| પ્રતિકાત્મક તસવીર |
Panchmahal News: પંચમહાલના હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં બે યુવકના મોત થયા છે. સમગ્ર મામલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, હાલોલના સુધારા ગામ નજીક દેવ ડેમ ખાતે બે યુવકો માછીમારી કરી રહ્યા હતા. આ દરમિયાન ભારે પવનના કારણે તેમની નાવડી પલટી હતી. આ દુર્ઘટનામાં બંને માછીમારોનું મૃત્યુ નીપજ્યું છે.
મૃતકના નામ
સંજય નાયક (ઉં.વ.26, રહે.ધનપરી)
અજય નાયક (ઉં.વ.22, રહે.નાથકુવા)
બનાવડીની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ બંને યુવકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલોલ ગ્રામ્ય પોલીસે મૃતકોના મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



