राष्ट्रीय

દોસ્ત ટ્રમ્પ સાથે પીએમ મોદીની ઈરાન મુદ્દે 40 મિનિટની ગુફ્તગૂ | PM Modi’s 40 minute conversation with friend Trump on Iran issue



– યુદ્ધવિરામ પછી મોદી-ટ્રમ્પ વચ્ચે પહેલી વખત વાતચીત થઈ

– બન્ને નેતાઓએ વેપાર સહિતના વૈશ્વિક મુદ્દે ભાગીદારી મજબૂત કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા અને ઈરાનની યુદ્ધવિરામ માટેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં અમેરિકાએ હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી દીધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત શાંતિ મંત્રણાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે તેવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૪૦ મિનિટ સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ છે. આ યુદ્ધ રોકવા માટે અમેરિકા અને ઈરાનની ઈસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણના નિષ્ફળ ગઈ હતી. હવે ફરી એક વખત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો થાય તેવી અટકળો થઈ રહી છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને કોલ કર્યો હતો. વધુમાં વડાપ્રધાન મોદીએ લખ્યું, કે મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે અલગ અલગ ક્ષેત્રોમાં અમારા દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી હતી. અમે બધા જ ક્ષેત્રોમાં અમારી વ્યાપારિક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અમે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝની ખાડીને ખોલવા અને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ભારતમાં અમેરિકન રાજૂદત સર્જિયો ગોરના જણાવ્યા મુજબ ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે, તેઓ એ જણાવવા માગે છે કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. અમારી વાતચીત ખૂબ જ સારી અને કામની રહી. આગળ શું થવાનું છે તેના માટે જોડાયેલા રહો.

અમેરિકન સેનાએ ઈરાનના બંદરોની નાકાબંધી શરૂ કરવાની સાથે દૈનિક અંદાજે ૨૦ લાખ બેરલ ઈરાની ઓઈલ વિશ્વના બજારોમાંથી બહાર થઈ જવાની આશંકા છે. તેનાથી વૈશ્વિક સપ્લાય પર દબાણ વધશે અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. અમેરિકા અને ઈરાનની સંભવિત વાટાઘાટોના પગલે મંગળવારે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી નીચે આવી ગયા હતા.

નજીકના સમયમાં મોટી જાહેરાત થઈ શકે

શાંતિ મંત્રણામાં ભૂમિકા અંગે ભારતે નિર્ણય કરવાનો છે : સર્જિયો ગોર

નવી દિલ્હી : હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે અમેરિકા અને ઈરાન ફરી એક વખત શાંતિ મંત્રણા માટે સહમત થયા હોવાનું અને નજીકના સમયમાં જ આ મંત્રણા થવાની ચર્ચા ચાલે છે. આવા સમયે નવી દિલ્હીમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે મધ્ય-પૂર્વમાં યુદ્ધ રોકવાના પ્રયત્નોમાં ભારત ભાગીદારી કરવા માગતું હોય તો અમેરિકા તેનું સ્વાગત કરશે. જોકે, ભારતે પોતે નક્કી કરવાનું છે કે શાંતિ મંત્રણામાં તેની ભૂમિકા શું હશે. વોશિંગ્ટનથી તાજેતરમાં જ પાછા ફરેલા ગોરે ઉમેર્યું કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધ રોકવા માટે આખી દુનિયા શાંતિ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી શકે છે અને તેમાં ભારત પણ સામેલ છે. પ્રમુખ ટ્રમ્પ આ બાબતમાં કોઈની સાથે કોઈ ભેદભાવ રાખતા નથી. આ યુદ્ધ રોકવામાં કોણ મદદ કરી શકે અને કોણ ના કરી શકે તે અંગે ટ્રમ્પ કોઈ અંતર રાખતા નથી. પ્રમુખ ટ્રમ્પ દેરક એવી વ્યક્તિનું સ્વાગત કરે છે, જેઓ શાંતિ મંત્રણામાં ભૂમિકા ભજવવા માટે સામેલ થવા માગતા હોય. અમેરિકાથી પાછા ફર્યાના કેટલાક કલાકોમાં જ સર્જિયો ગોરે કહ્યું કે, વોશિંગ્ટનમાં તેમણે પ્રમુખ ટ્રમ્પ સહિત આખી કેબિનેટ સાથે વાત કરી હતી. આગામી દિવસોમાં કેટલાક સમાચાર સામે આવી શકે છે, પરંતુ તે અંગે માહિતી આપવાનો હાલ યોગ્ય સમય નથી.



Source link

Related Articles

Back to top button