गुजरात

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ | Drivers suffer from potholes on the riverfront in Surendranagar



રોડ
નવીનીકરણની ધીમી કામગીરીથી લોકોમાં રોષ

સાયન્સ
કોલેજ પાસેના વળાંક પર ખાડાઓને કારણે અને બાઇક ચાલકો પટકાયા

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી રિવરફ્રન્ટ પ્રોજેક્ટહાલ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો
છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નિર્મિત આ માર્ગ પર ઠેર-ઠેર જીવલેણ ખાડાઓ
પડી ગયા છે.

ખાસ
કરીને સાયન્સ કોલેજ સામેના મુખ્ય વળાંક અને ઢાળ પર જ મસમોટા ખાડા હોવાથી વાહનચાલકો
અચાનક બ્રેક મારે ત્યારે પાછળથી આવતા વાહનો અથડાવાની ઘટનાઓ રોજિંદી બની છે.
રિવરફ્રન્ટના નવીનીકરણનું કામ કરોડો રૃપિયાના ખર્ચે મંજૂર તો થયું છે
, પરંતુ તેની ગતિ અત્યંત
ધીમી છે. હાલમાં જ પડેલા આ ખાડાઓને કારણે અનેક વાહન ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
થયા છે અને વાહનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ
માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જોખમી ખાડાઓ પુરવામાં આવે જેથી કોઈ
મોટી દુર્ઘટના ટાળી શકાય.



Source link

Related Articles

Back to top button