गुजरात

ખેડબ્રહ્મા અંબાજી મંદિરે શ્રદ્ધાનું ઘોડાપૂર: ચૈત્રી પૂર્ણિમાએ હજારો ભક્તોએ કર્યા મા અંબાના મંદિરના દર્શન | khedbrahma ambaji temple crowded devotees chaitri purnima 2026



Khedbrahma News: આજે ચૈત્રી પૂર્ણિમાના પવિત્ર અવસરે સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી જ જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મા અંબાના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં ચારેતરફ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો

મંદિરના દ્વાર ખુલતાંની સાથે જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોવાથી શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તોમાં અનોખો ઉત્સાહ અને આધ્યાત્મિક શાંતિનો અહેસાસ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને સુવિધા

ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા દ્વારા ભીડ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દર્શનાર્થે આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે.

ચૈત્રી પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ

હિન્દુ ધર્મમાં ચૈત્રી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, આ દિવસે શક્તિપીઠ અને માતાજીના મંદિરે દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ખેડબ્રહ્માનું આ મંદિર પૌરાણિક મહત્ત્વ ધરાવતું હોવાથી અહીં દર વર્ષે પૂનમના દિવસે મેળા જેવો માહોલ સર્જાય છે.



Source link

Related Articles

Back to top button