गुजरात

શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citizens urged to pay outstanding property tax business tax



સુરેન્દ્રનગર
મનપામાં રજા દિવસોમાં પણ વેરાની વસુલાત કરાશે

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મહાનગરપાલિકા
દ્વારા આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધી શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ વેરા
વસૂલાત કેન્દ્રો શરૃ રાખવામાં આવ્યા છે.

શહેરીજનો
જાહેર રજાના દિવસો દરમિયાન પણ બાકીનો મિલકત વેરો
, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી
, ઉત્તર ઝોન,
દક્ષિણ ઝોન તથા જોરાવરનગર લાઈબ્રેરી ખાતે કાર્યરત વેરા વસુલાત
કેન્દ્ર ખાતે સવારે ૧૦.૩૦થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી વેરો ભરપાઈ કરી શકશે. આ
ઉપરાંત શહેરીજનો પોર્ટલ પરથી પણ ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છેકે
આગામી તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં બાકી રહેલા મિલકત વેરો
, વ્યવસાય
વેરો તથા પાણી વેરાની ભરપાઈ ન કરનારની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે
તેમજ પાણી તથા ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.



Source link

Related Articles

Back to top button