गुजरात

વડોદરાના વિજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની મહિલાએ ઝાડ પર લટકીને જીવન ટૂંકાવ્યું | woman living in Vijayanagar Vadodara committed suicide



Vadodara : વડોદરાના હરણી રોડ પર વિજયનગર પાસે આવેલા મંદિર નજીકના ઝાડ પર એક શ્રમજીવી પરિવારની મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. જોકે આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. 

મળતી માહિતી મુજબ હરણી રોડ વિજયનગર નિધી ફ્લેટની પાછળ રહેતા હંસમુખભાઈ ચુનારા જુના સોફા ખરીદી તેને રીપેર કરી વેચવાનો ધંધો કરે છે. ગઈકાલે તેઓ હૈદરાબાદથી અઢી લાખ રૂપિયામાં એક બકરી અને એનું બચ્ચો ખરીદીને લાવ્યા હતા. તેમના પત્ની ધનસાબેન પણ પતિને કામમાં મદદ કરે છે. આજે સવારે ધનસાબેને મંદીરની નજીક આવેલા ઝાડ પર ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. જે ઝાડ પર પણ ફાંસો ખાધો હતો તે ઝાડ પર જ તેઓ ડાળખી કાપવા માટે ઘણીવાર જતા હતા. જેના કારણે શરૂઆતમાં કોઈને ખબર જ નહોતી પડી કે તેઓએ આપઘાત કર્યો છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વારસિયા પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.



Source link

Related Articles

Back to top button