गुजरात

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો યથાવત્ | Land mafia continues to occupy grazing land in Jasapar Dhrangadhra



સ્થાનિક
તંત્રએ સરકારી કાગળ પર સુધારો કરી સંતોષ માન્યો

રાજકીય
વગ ધરાવતા ભૂમાફિયાઓ સામે સ્થાનિક તંત્રના ઇરાદાપૂર્વક ઢીલી નીતિ રાખતું હોવાની
ચર્ર્ચા

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા તાલુકાના
જસાપર ગામે નર્મદા કેનાલને અડીને આવેલી કરોડોની કિંમતની ગૌચર જમીન પચાવી પાડવાનું
મોટું કૌભાંડ સામે આવ્યું છે. ભેચડા રોડ પર સર્વે નંબર ૩૬૨ની આ જમીનને અગાઉ
ભૂમાફિયાઓએ મેલી મુરાદ સાથે ખાનગી માલિકીના ૭/૧૨ના ઉતારામાં ચડાવી દીધી હતી.

રજૂઆત
બાદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ આ જમીનને ખાનગી નામેથી હટાવી ફરી ગૌચર જાહેર
કરી હતી. જોકે
, આ સુધારો માત્ર સરકારી ચોપડે જ સીમિત રહ્યો છે, કારણ
કે સ્થળ પર હજુ પણ ગેરકાયદેસર કબજો યથાવત છે અને ત્યાં વાવેતર પણ કરવામાં આવ્યું
છે.

સ્થાનિકોમાં
ચર્ચાઈ રહ્યું છે કે આ જમીન પર કબજો જમાવનાર શખ્સો રાજકીય વગ ધરાવે છે
, જેના કારણે તાલુકા પંચાયત
કે તલાટી મંત્રી દબાણ હટાવવાની હિંમત કરી રહ્યા નથી. નિયમ મુજબ ગૌચરની જમીન ખુલ્લી
કરાવવાની જવાબદારી સ્થાનિક તંત્રની છે
, પરંતુ અહીં ઈરાદાપૂર્વક
ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું જણાય છે. કૌભાંડ ઉજાગર થયાના એક વર્ષ બાદ પણ
ભૂમાફિયાઓ બેખોફ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે
, ત્યારે હવે તંત્ર
આ કિંમતી જમીન ક્યારે મુક્ત કરાવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.



Source link

Related Articles

Back to top button