યુવાનનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીંકી મોત નિપજાવનાર હત્યારો ઝડપાયો | The murderer who strangled the young man and killed him by throwing stones at him has been arrested

![]()
– 6 દિવસ પૂર્વે અધેવાડાની સીમમાં
– લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસની મદદ વડે શખ્સને પકડી પાડયો
ભાવનગર : અધેવાડાની સીમમાંથી ગત ગુરૂવારના રોજ યુવાનનો મૃતદેહ મળી આવવા મુદ્દે મોટો ખુલાસો થયો હતો. યુવાનનું માથાના ભાગે ગંભીર ઈજાના લીધે હેમરેજ થયું હોવાથી મોત થયું હોવાનું પીએમ નોટમાં આવતા આ મામલે ભરતનગર પોલીસ મથકમાં મૃતકના પત્નિએ અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.આ મામલો લોકલ ક્રાઈમ બ્રાન્ચે આધેડની હત્યા કરનાર શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત ૨૭ ફેબ્આરી ૨૦૨૬ ના રોજ ભાવનગર શહેર,શિવમ અમ્ત સોસાયટી, ડી-માર્ટ વાળા જવાના રસ્તા વિસ્તારની બાવળની ઝાડીમાં આવેલ સિમેન્ટની વંડી પાસેથી મથુરભાઇ હીરાભાઇ પરમાર (રહે.અધેવાડા ,ભાવનગર ) ની લાશ મળી આવી હતી.જે બાદ ભરતનગર પોલીસે પીએમ રિપોર્ટના આધારે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગત તા.૧ માર્ચ ૨૦૨૫ ના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસ મારફતે ફળદાયક માહિતી મેળવવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસમાં જોડાય ગયેલ હતાં. આ દરમિયાન આ હત્યામાં હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર-જીજે-૦૪-ઈબી-૯૦૪૫ના ધારક શંકાસ્પદ હોવાની માહિતી મળતા રાજેન્દ્દ ગોબરભાઇ સોલંકી ( રહે.શંકરના મંદિર પાસે, પટેલનગર, ચિત્રા, ભાવનગર ) ની લોકલ ક્રાઇમ બ્રાન્ચની પુછપરછ કરતાં તેણે યુવાનનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.લોકલ ક્રાઈમ બ્રાન્ચે આગળની વધુ તપાસ થવા માટે તેને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.
મહિલાની છેડતી મામલે હત્યા કરવામાં આવી હતી
રાજેન્દ્દ ગોબરભાઇ સોલંકી અને એક મહિલા અકવાડા ગામની સીમમાં અંગત પળોની મજા માણતા બેઠેલા હતા તેવામાં મૃતક મથુરભાઇ હીરાભાઇ પરમાર ધસી આવ્યો હતો અને રાજેન્દ્દ અને મહિલાના વીડિયો ફોટા પાડી મહિલા સાથે છેડ છાડ કરતા રાજેન્દ્રને ગુસ્સો આવી જતા મૃતક મથુરભાઈનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો.મૃતક આ પ્રકારની કુટેવ ધરાવતો હતો.



