શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
ઇઝરાયલ અને અમેરિકાએ મળીને ઇરાન પર કરેલા ઘાતક હુમલામાં ઇરાનના શાસકનું મૃત્યુ નીપજ્યું તે પછી
વધી રહેલી તાણને ધ્યાનમાં લઈને કન્ટેઈનર ચાર્જમાં ૪૦૦થી ૫૦૦ ટકાનો વધારો કરી દીધો છે.
ઇમરજન્સી કોન્ફિક્ટ ચાર્જને નામે આ વધારો કરી દીધો છે. બીજી માર્ચથી થનારા તમામ બુકિંગ
નવા ચાર્જથી લેવામાં આવશે. બહેરિન, ઇજિપ્ત,
પોર્ટ ઓફ એૈન સોખના, ઇરિટેરા, ઇરાક, જોર્ડન, સાઉદી અરેબિયા,
કુવૈત, ઓમાન,કતાર,
સુદારન, યુનાઈટેડ આરબ અમિરાત યેમેન તરફ નિકાસનો
માલ લઈ જતાં કન્ટેઈનર્સના ચાર્જમાં અકલ્પ્ય વધારો કરી દીધો છે. નિકાસકારોના માલની પોતાની
શિપના ચાલકોની ટુકડીની તથા જહાજની સલામતીને ધ્યાનમાં લઈને ચાર્જમાં વધારો કરવામાં આવ્યો
હોવાનું કારણ આપ્યું છે.
૨૦ ફૂટના ડ્રાય કન્ટેઈનર માટેના ચાર્જ ૨૦૦૦ અમેરિકી ડૉલર
કરી દેવામાં આવ્યા છે. તેમ જ ૪૦ ફૂટના કન્ટેઈનર્સના ચાર્જ વધારીને ૩૦૦૦
અમેરિકીડૉલર કરી દેવામાં આવ્યા છે. નવા સરચાર્જને કદાચ નૂર દરમાં કદાચ સમાવી
લેવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. માલની હેરફેરની સેવામાં કોઈ ખલેલ ન પડે
તેની તકેદારી રાખવાની બાંયધરી પણ આ સાથે જ આપવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાાંથી મધ્ય પૂર્વના એટલે કે મિડલ ઇસ્ટના દેશોમાં
કાાર્ગે લઈ જવાની મનાઈ ફરમાવી દીધી છે. જિનિવા સ્થિત શિપિંગ કંપની એમએસસીએ માલની હેરફેર
અટકાવી દેવાની જાહેરાત પણ કરી છે. પરિસ્થિતિ થાળે પડતાં તરત જ માલની હેરફેર માટેની
સેવા ચાલુ કરી દેવાની ખાતરી પણ આપવામાં આવી છે.ઇઝરાયલ-અમેરિકાના આક્રમણને કારણે ઇરાન
અને તેની પરિસરના અસરગ્રસ્ત વિસ્તારોમાં માલની હેરફેરને સલામત બનાવવાના પ્રયાસરૃપે
પ્રસ્તુત પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. તેની સાથે શિપિંગ કંપનીઓએ
સ્વીકાર્યું છે કે નિકાસકારોના માલની હેરફેર માટેના ખર્ચમાં બહુ જ મોટો વધારો થઈ જશે.
તેમ જ એક્સપોર્ટના કન્સાઈનમેન્ટ પણ અટવાઈ જશે.
ભારતથી પાકિસ્તાન, યમન,
ઇરાન થઈને સુએઝ કેનલ તરફના એક્સપોર્ટના કન્સાઈનમેન્ટ અટકાવી દેવાનો
નિર્ણય લેવામાં આવ્યો છે. આ રૃટ પરથી આગળ યુરોપ એટલે કે યુરોપિયન સંઘના દેશોમાં
માલ પહોંચાડવામાં આવી રહ્યો છે. પરિણામે ભારતની નિકાસ પર મોટી અસર પડવાની સંભાવના
રહેલી છે. જોકે શ્રીલંકા થઈ, વેસ્ટ અને સાઉથ આફ્રિકા તરફથી
અમેરિકા તરફથી જતાં માલ પર અસર પડશે નહિ. તેનો ફાયદો ચીનની થઈ શકે છે.
સલામત સ્થળે ખસી જવા જહાજોને સૂચના
હોર્મોઝની સામુદ્રધૂનીમાં થઈને તથા બાબ અલ મન્ડેબ થઈને જતાં
માલની હેરફેર પણ અટકાવી દેવામાં આવી હોવાનું કસ્ટમર એડવાઈઝરીમં જણાવવાાં આવ્યું
છે.ગલ્ફના અખાતમાં પહોંચી ગયેલા કે પછી અખાતના દેશોમાં જવા માલ લઈને માટે નીકળેલા
તમામ જહાજોને સલામત સ્થળે અટકી જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. સુએઝ
કેનાલમાંથી જહાજોને આગળ જવાની કામગીરી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી અટકાવી
દેવામાં આવી છે.
માલ કયા વૈકલ્પિંક બંદરે ઉતારશે તેની જાણ કરશે
ભારતથી નિકાસ માટે અખાતના દેશ તરફ થઈને અમેરિકા કે યુરોપિયન
સંઘના દેશો માટે માલ રવાના કરી ચૂકેલા નિકાસકારોને જણાવવામાં આવ્યું છે કે તેમનો
માલ વૈકલ્પિક કયા બંદરે ઊતારી શકાશે તેની જાણકારી પણ તેમને વહેલામાં વહેલી આપવાની
ખાતરી શિપિંગ કંપનીઓ તરફથી આપવામાં આવી રહી છે. બિલ ઓફ લેડિંગની શરતો અને નિયમોના
દાયરામાં લઈને પ્રસ્તુત સૂચનાઓ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. મિલાહાના
કન્ટેઈનર શિપિંગ ડિવિઝને બહાર પાડેલી કસ્ટમર એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે
તેમણે પણ તેમના અખાતના દેશો તરફના તમામ જહાજોની હેરફેર અટકાવી દીધી છે. તેથી
અખાતના સમુદ્રમાંથી પસાર થતાં જહાજોમં મોકલેલા માલની ડિલીવરીમાં વિલંબ થશે.



