गुजरात

કાલાવડ તાલુકાના બાંગા ગામમાં એક વેપારીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: 42,500ની માલ મત્તાની ચોરી | Smugglers stole from a closed house of a trader in Kalavad taluka



જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામના રહેવાસી અને હાલ રાજકોટ માં રહેવા માટે ચાલ્યા ગયેલા રમેશભાઈ મૂળજીભાઈ મૈયડ નામના વેપારી, કે જેઓનું મકાન બાંગા ગામમાં આવેલું છે, જેને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા 42,500ની માલમતા ચોરી કરી ગયા હતા.

ઉપરોક્ત ચોરીના બનાવ અંગે રમેશભાઈએ રાજકોટ થી કાલાવડ આવ્યા બાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાના બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી 16,000ની રોકડ રકમ અને સોના ચાંદીના જુના દાગીના ઉઠાવી ગયાનું પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું હતું. જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button