गुजरात

અમરેલીમાં ઝેરી મધમાખીનો આતંક, લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી, તમામને હોસ્પિટલ ખસેડાયા | Bee Attack in Lathi’s Zharkhiya Village Leaves 6 Injured in Amreli



Bee Attack In Lathi: અમરેલીના ઝેરી મધમાખીના આતંકની ઘટના સામે આવી છે. જેમાં લાઠીના ઝરખીયા ગામ ખાતે પાદરમાં બેઠેલા 5 થી 6 વ્યક્તિઓ પર મધમાખીઓએ અચાનક હુમલો કર્યો હતો. મધમાખીના હુમલામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

લાઠીના ઝરખીયા ગામમાં બેઠેલા 6 લોકોને મધમાખી કરડી

અમરેલીમાં લાઠીના ઝરખીયા ગામે ઝેરી મધમાખી 5-6 વ્યક્તિને કરડી હતી. મધમાખીના હુમલાથી ઈજાગ્રસ્તોને લાઠી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા અમરેલી રીફર કરાયા હતા.

આ પણ વાંચો: મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો

મધમાખીના ડંખથી ઈજાગ્રસ્ત તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝેરી મધમાખીના હુમલાની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.



Source link

Related Articles

Back to top button