વડોદરાના ઉંડેરામાં મદ્રેસા બનાવી અતિક્રમણ થતું રોકવા પોલીસ કમિશનર કચેરીએ મોરચો : આવેદન પત્ર સુપ્રત | people request to Police commissioner of vadodara to stop encroachment by madrasa in Undera

![]()
Vadodara : વડોદરા શહેરના છેવાડે ઊંડેરાની જલારામ નગર સોસાયટીમાં 1200 જેટલા પરિવારો પૈકી માત્ર 100 જેટલા મકાનો અન્ય ફોર્મના છે. બાજવાના આવેલા કેટલાક મુસ્લિમોએ ખુલ્લી જમીનની સાફ-સફાઈ કરતા મદ્રેસા બનાવવાની ચોકાવનારી મળેલી માહિતી અંગે સ્થાનિક પરિવારોએ 1988થી જમીનની માલિકી અંગે ખરાઈ કરવા સહિત વિસ્તારમાં મદ્રેસા નહીં બનાવવા અંગે મોટી સંખ્યામાં પહોંચેલા સ્થાનિકોએ શહેર પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શહેરના છેવાડે આવેલા ઊંડેરાની જલારામ મંદિર પાસેની જલારામ નગરમાં બનેલી 300 મકાનોની સોસાયટીમાં માત્ર 25 જેટલા અન્ય કોમના લોકોનો મકાનોમાં વસવાટ છે. બાકી અન્ય મકાનોમાં 1200 હિન્દુ પરિવારો 35 વર્ષથી વસવાટ કરતા આવવાનું શાની કોઈએ જણાવ્યું હતું. જ્યારે આ વિસ્તારની ખુલ્લી જમીનની સાફ-સફાઈ કરવા નજીકના બાજવા ખાતેથી કેટલાક લઘુમતી કોમના કેટલાક લોકો તાજેતરમાં ખુલ્લા પ્લોટમાં સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ અંગે સ્થાનિકોએ કરેલી પૂછપરછમાં સાફ-સફાઈ કરનારાઓએ જણાવ્યું હતું કે આ જગ્યાએ મદ્રેસા બનાવવા માટે સાફ-સફાઈ કરાઈ રહી છે. આ વિસ્તારમાં વસવાટ કરતાં તમામ પરિવારો લાઈટ બિલ અને વેરા પણ ભરી રહ્યા છે. આ તમામ પરિવારો પાસે પોતાના રહેઠાણના પુરાવા તરીકે માત્ર સ્ટેમ્પ પેપર જ એક પુરાવો છે. સાફ-સફાઈ કરાતી જગ્યાએ મદ્રેસા બનાવવા અંગેની જાણ જલારામ નગરમાં વાયુવેગે ફેલાઈ જતા સ્થાનિકોમાં ગભરાટ સાથે રોષ વ્યાપ્યો હતો.
આ અંગે સ્થાનિકોએ સીટી સર્વે ઓફિસમાં તપાસ શરૂ કરી હતી. જેમાં સોમાભાઈનું આ ખેતર હોવાનું બહાર આવ્યું હતું પરંતુ ત્યારબાદ કોઈના નામે વેચાણ થયું છે કે કેમ એ અંગે પણ તપાસ કરાવી હતી. ઉંડેરા-જલારામ નગર સોસાયટીનામાં આ તમામ પરિવારોના પાકા મકાનો બનેલા છે પરિણામે સ્થાનિક હિન્દુ પરિવારોએ આ વિસ્તારમાં મુસ્લિમો દ્વારા થઈ રહેલા કથિત ભૂમિ અતિક્રમણ બાબતે જણાવ્યું હતું કે, ઊંડેરા રોડ, ગોરવામાં આવી ઘટના સર્જવાની શક્યતા છે.જેથી તમામ સ્થાનિક સનાતની સમુદાય અશાંતિ અને ડર મેહસૂસ કરે છે. તેમજ શહેરમાં ભૂમિ અતિક્રમણનાં બનાવો વધતા જાય છે જેને કારણે સમસ્ત હિન્દુ સમાજ અસુરક્ષિતતા મહેસૂસ કરી રહ્યો હોવાનું સ્થાનિક હિન્દુ પરિવારોએ જણાવ્યું હતું. આ અંગે રિફાઇનરી રોડ સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા વડોદરાના સમસ્ત સનાતનીઓને આહવાન કરવામાં આવ્યું હતું કે, કે મોટી માં મોટી સંખ્યા ઊંડેરા રોડની જલારામ નગર સોસાયટીમાં થઈ રહેલા કથિત અતિક્રમણ અંગે આવેદન આપી સ્થાનિક સનાતાનીઓને સમસ્યાના નિવારણ અંગે અપીલ કરવામાં આવી હતી.



