ભાવનગરમાં મેન્ટેનન્સના વાંકે 30 થી વધુ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે | Water supply will be closed in more than 30 areas in Bhavnagar due to maintenance

![]()
– તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં કાલથી બે દિવસ પાણી નહીં મળે
– શુક્રવારે વર્ધમાનનગર, દિલબહાર, બોલયોગીનગર ઇએસઆર હેઠળના વિસ્તારમાં પાણીના ધાંધીયા
ભાવનગર : મહી પરીએજ (જીડબલ્યુઆઈએલ) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે આગામી તા. ૬ થી તા. ૮ ફેબુ્રઆરી-૨૦૨૬ સુધી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાયેલ હોવાથી ભાવનગર શહેરને મળતો પાણી સપ્લાય અનિયમિત રહેશે, જેના પગલે આગામી શુક્રવાર અને શનિવારનાં રોજ તરસમિયા ફિલ્ટર આધારીત ઘણા વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.
આગામી શુક્રવારના રોજ સવારે ૧૦-૦૦ કલાક બાદનો પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં વર્ધમાનનગર ઈએસઆર આધારિત આસ્થા ઓમ શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા (ભરતનગર), તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડેન્સી-૧-૨-૩-૪, તરસમીયા ગામ, અધેવાડા સોસાયટી વિસ્તાર તેમજ દિલબહાર ઈએસઆર આધારિત કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર, ખોડીયાર હોલ અને તેની આજુ-બાજુના વિસ્તાર, શિવપાર્ક, કેપીઇએસ સ્કૂલ પાછળના વિસ્તાર, અવધનગર, ગોકુળધામ, હરિઓમનગર, નીલમણીનગર, પટેલ પાર્ક, કબીર આશ્રમ, શાંતિનગર વગેરે વિસ્તાર અને બાલયોગીનગર ઈએસઆર આધારિત સુભાષનગર, રાજપૂત વાડા, ગાયત્રીનગર, આવાસ યોજના ઘોઘારોડ, અકવાડા, અખિલેશ સોસાયટી વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.
ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં બે દિવસ પાણીના ધાંધીયા હોવાથી લોકોની મૂશ્કેલી વધશે તેમ જણાય રહ્યુ છે.
શનિવારે પણ ઘણા વિસ્તારને પાણી મળશે નહીં
શનીવારના રોજ સવારે ૪-૦૦ કલાક થી સવારે ૧૦-૦૦ કલાક સુધીનો પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં વર્ધમાનનગર ઈએસઆર આધારિત ભરતનગર જુના બે માળિયા, સિંગલીયા (ભરતનગર) શિવ પાર્વતી, હરિઓમનગર, શ્રીનાથજીનગર-૧-૨, કૌશલ્યા પાર્ક, કૈલાશનગર, અધેવાડા ગામતળ વગેરે વિસ્તાર અને દિલબહાર ઈએસઆર આધારિત હિલડ્રાઈવ, સિંધુનગર, આઝાદનગર, ઇસ્કોન મેગાસીટી, માધવબાગ વગેરે વિસ્તાર તેમજ બાલયોગીનગર ઈએસઆર આધારિત ગાયત્રીનગર, ખારસી વિસ્તાર, બરસાના, સ્વપ્નશિલ્પ, સિધ્ધીવિનાયક સોસાયટી વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.



