गुजरात

ગોત્રીમાં વડ ધરાશાયી થતાં મંદિરના સ્લેબને નુકસાન | Temple slab damaged after banyan tree collapses in Gotri



વડોદરાઃ શહેરમાં જૂના વૃક્ષો ધરાશાયી થવાના બનાવોને કારણે માલ મિલકતની સાથે લોકોને ઇજાઓ પણ થતી હોય છે.ગઇકાલે  બપોરે આવા જ એક બનાવમાં જાનહાનિ થતા રહી ગઇ હતી.

ગોત્રી વુડા ચારરસ્તા પાસે ગીરધર નગર ખાતે આવેલા વીર ક્ષત્રિય ભાથીજી મહારાજના મંદિર પાસે તોતીંગ વડ આવેલો છે.જે વડનો કેટલોક ભાગ તૂટી પડતાં મંદિર પર પડ્યો હતો અને સ્લેબને નુકસાન થયું હતું.

ઉપરોક્ત મંદિર ગ્રામજનોએ સ્વખર્ચે અને મહેનતથી બનાવ્યું હતું.સારાનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહતી.



Source link

Related Articles

Back to top button