Tauktae વાવાઝોડાનો ખતરો: ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની, દરિયાકાંઠે લાગ્યું ગ્રેટ ડેન્જર સિગ્નલ

અમદાવાદ: ગુજરાત માથે વાવાઝોડાનો ખતર તોળાઈ રહ્યો છે. જો આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તો મોટું નુકસાન થશે. બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને લઈને દરિયાકાંઠે ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવ્યું છે. જેનો મતલબ થાય છે કે વાવાઝોડું વધારે નુકસાન પહોંચાડી શકે છે. જેના પગલે હવે ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની બની છે. ગ્રેટ ડેન્જર સિગ્નલ લાગ્યું તેનો મતલબ એવો છે કે વાવાઝોડું પાર્ટ નજીકથી પસાર થશે કે પોર્ટ પર ટકરાશે ત્યારે ખરાબ વાતાવરણનો સામનો કરવો પડશે, જેના પગલે સ્થિતિ વધારે બગડી શકે છે. ગ્રેટ ડેન્જર સિગ્નલને 10 નંબરનું સિગ્નલ પણ કહેવામાં આવે છે. આ સિગ્નલ ભાગ્યે જ લગાવવામાં આવતું હોય છે. બીજી તરફ વાવાઝોડાના ખતરા વચ્ચે ગીર-સોમનાથ જિલ્લામાં રાત્રે ભૂકંપની જોરદાર આંચકો પણ અનુભવાયો હતો.
વાવાઝોડું ક્યારે ટકરાશે?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ટાઉતે વાવાઝોડું આજે (17 મે) રાત્રે આઠથી 10 વાગ્યા વચ્ચે દીવથી 20 કિલોમીટર દૂર દરિયા કિનારાથી ગુજરાતમાં પ્રવેશ કરશે. 18મી મેના શરૂઆતની કલાકોમાં જ આ વાવાઝોડું ગુજરાતને ક્રોસ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.