ગુજરાતભરમાં 31મી જાન્યુઆરીથી ખુલશે આંગણવાડી, થઇ રહી છે આવી તૈયારીઓ
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હવે આગામી ૩૧મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં આંગણવાડીની શરૂઆત થશે. જેને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં તૈયારીઓ શુરૂ કરી છે. અમદાવાદની જો વાત કરીએ તો, 31મી જાન્યુઆરીના રોજ બાળકો કુપોષણમાંથી સામાન્ય બને તે માટે ખાસ કામ કરવામાં આવશે. એ સાથે બાળકો ને કોરોના વાયરસ માટે જ્ઞાન આપવામાં આવશે. બાળકોને કુપોષણ માંથી પોષણયુક્ત આહાર આપી સામાન્ય કેટેગરીમાં લાવવાની સૌથી મોટી જવાબદારી સરકારની રહેશે. આમ તો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે 31 જાન્યુઆરીના રોજ આંગણવાડી ખુલી જશે. પરંતુ બાળકોને કોરોના વાયરસથી દૂર રાખવા નક્કર પગલાં લેવા પડશે. જેની માટે આંગણવાડીની બહેનોએ અત્યારથી જ કમર કસી લીધી છે.
બહેનો બાળકોને આવકારવાની કરી રહી છે તૈયારી
આ બહેનો આજે પણ આંગણવાડીમાં આવે છે અને ટ્રેનિંગ પ્રોગ્રામ કરે છે. આ પ્રોગ્રામ દરમિયાન આંગણવાડીની આ બહેનો એ નક્કી કર્યું છે કે, બાળકોને કોરોના વાયરસનું જ્ઞાન કેવી રીતે આપવું. આ અંગે આંગણવાડી કાર્યકર રૂપાબેન નું કહેવું છે કે, અત્યાર સુધી તેઓ માનસિક રીતે તૈયાર નહોતા. પરંતુ પરંતુ સરકાર અમારી અને બાળકોની સલામતી માટે ધ્યાન રાખે છે.સુખડી બાલભોગ લાભાર્થીઓ લેવા માંગતા નથી, ગળ્યું ખાતા નથી, કુપોષણ વધી ગયું છે. દાળ, ઘઉં અને તેલ વિતરણ થવું જોઈએ, 25થી 30 બાળકો આવે છે. બધાને કોરોનાનો ડર લાગે છે. બાળકોને બેસાડવા અઘરા પડે છે.
મંથલી રિપોર્ટ આપતા હોય તેમાં સામાન્ય બાળકોની 17માંથી 5 બાળકો કુપોષણ અને તેમાંથી અતિકુપોષણમાં ગયા છે. બાળકો માટે માર્ચથી આંગણવાડી બંધ હતી. હવે 15 બાળકોને એક દિવસમા બેસાડીશું. આવતા જતા સેનીટાઇઝર અને બાળકોને હાથ ધોવડવા અંગે જ્ઞાન આપવામાં આવશે.