સુરત: C.R.પાટીલનું સુરતનાં જૈન સમાજ દ્વારા 101 કિલો ચાંદીથી રજતતુલા સન્માન કરવામાં આવ્યું
સુરત : સુરતના જૈન સમાજ દ્વારા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનું રજતતુલા કરી સન્માન કરવામાં આવ્યું હતું. વેસુનાં વિજયાલક્ષ્મી હોલમાં આજે રાત્રે ૮ વાગ્યે દિવાળીના સપ્તાહ અગાઉ દિવાળી જેવો માહોલ જામ્યો હતો. એકત્ર થયેલા લોકોના ચહેરા પર એક અલગ પ્રકારની ચમક અને અહોભાવ હતા. કેમ કે આ અવસર ભાજપના નેતા સી.આર.પાટીલને વધાવવાનો હતો. ભાજપ શાસનકાળના ઇતિહાસમાં બીજીવાર સુરત શહેરને ગુજરાત ભાજપનું અધ્યક્ષપદ મળ્યુ છે. લોકોની સમસ્યા નિવારવા હમેંશા તૈયાર રહેતા સી.આર.પાટીલનું સુરતનાં જૈન સમાજ દ્વારા રજતતુલા સન્માન કરવામાં આવ્યુ હતું.
જૈન સમાજ દ્વારા સુંદર મજાના રજતતુલા ગીત સાથે રાત્રે ૮ના ટકોરે સી.આર.પાટીલજીનું આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું હતું. હોલમાં પ્રવેશતાની સાથે જ ઉપસ્થિત સૌએ તેમને તાળીઓથી વધાવી લીધા હતાં. પાટીલજીના આગમન બાદ તરત જ સી.આર.પાટીલ, સમારોહના મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય વિધિ થઇ હતી. પ્રાંસગિત ગીત સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ સી.આર.પાટીલ રજતતુલા સમારોહ સમિતિના કન્વીનર સુરેશ ડી. શાહે સૌનું સ્નેહસભર શબ્દોથી સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ જૈન અગ્રણી ઉદ્યોગપતિ એસ.પી.શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.