રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયસર નહીં યોજાય, બેથી ત્રણ મહિના પાછળ ધકેલાઈ શકે : સૂત્ર
ગાંધીનગર : અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર સહિત મહાનગર પાલિકાઓ ,228,તાલુકા પંચાયતો ,31 જિલ્લા પંચાયતો ,સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થનાર છે, જોકે, આ બધાની વચ્ચે કોરોના મહામારીને ધ્યાને રાખીને બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ લઈ જવા માટે કરાઈ રહી છે વિચારણા. સૂત્રોના મતે આ ચૂંટણી નિયત સમયે યોજાય તેવી શક્યતાઓ નહીવત છે. દરમિયાન આ અંગે સૂત્રો વધુમાં જણાવે છે કે આ અંગે સરકારને આઇબી તરફથી પણ ચૂંટણી ન યોજવાનો આદેશ આપવામાં આવ્યા છે.
નવરાત્રિ પણ નહીં યોજાય, પૂજા પાઠ માયેસરકારની માર્ગદર્શિકા વિશે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ એસોસિએશન અને અન્ય લોકો તરફથી સરકારને કેટલાક સૂચનો મળ્યા હતા. આ સૂચનોને ધ્યાનમાં રાખીને સરકારે તહેવારો સંદર્ભે વિવિધ નિર્ણયો કર્યા છે. તહેવારો દરમિયાન લોકોની આસ્થાનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારની માર્ગદર્શિકા જાહેર થયા બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મોના દેસાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે તેમના સૂચનો સ્વીકાર્યા છે તે ખરેખર આનંદની વાત છે.
સરકારે જાહેર કરેલી સૂચના:
રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે.
આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજનો કરી શકાશે નહીં.
નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે.
ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે.
200થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ દરમિયાન તમામ એસ.ઓ.પીનું પાલન કરવું આવશ્યક રહેશે.
દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.
આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે.
આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.