આમ આદમી પાર્ટી દહેગામ શહેર કમિટી દ્વારા દહેગામ નગર પાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.
Anil Makwana
દહેગામ
હાલની કોરોનાવાયરસ ની મહામારીમાં દહેગામ શહેર ખાતે દર ૧૦ દિવસે સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દહેગામ શહેર કમિટીની માંગણી છે. દહેગામ શહેર જનતાની લોક લાગણીને માન આપી આજરોજ દહેગામ નગર પાલિકા અઘિકારીશ્રી નરેશભાઈ જે બ્રહ્મભટ્ટ ને આવેદનપત્ર આપવામાં આવ્યું. દહેગામ નગર માં કોરોનાવાયરસ નો ફેલાવો ન થાય તે માટે સેનેટાઈઝર નો છંટકાવ કરવા માટે દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટે વિનંતી કરેલ હતી.દહેગામ નગર પાલિકા ખાતે આવેદનપત્ર કાર્યક્રમમાં દહેગામ શહેર પ્રમુખ હિરેન સોની , ઉપપ્રમુખ હીરાભાઈ અજમેરા, દહેગામ શહેર મહિલા વિનપ્રમુખ હેતલબેન ગુર્જર , દહેગામ શહેર મીડિયા સેલ કન્વીનર ધ્રુવલ કુમાર રાવલ, કાર્યકર્તા પ્રવીણભાઈ પટેલ, દહેગામ તાલુકા પ્રમુખ મનોજ બ્રહ્મભટ્ટ ,દહેગામ તાલુકા યુવાપ્રમુખ હિરેન બારોટ, હરસોલી ગામ કારોબારી પ્રમુખ ચૌહાણ પૃથ્વીસિંહ , ચૌહાણ હર્ષદકુમાર ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્ર કાર્યક્રમમાં હાજરી આપવા બદલ મનોજ બ્રહ્મભટ્ટે સર્વે કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.