વાંસદા
રિપોર્ટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
વાંસદા નામોટી વાલઝર ગામના પટેલ ફળીયા માં કોરોનાનો પગપસેરો થતા વાંસદા માં બીજો એક પોઝીટીવ કેસ બહાર આવતા વહીવટીતંત્રમા દોડધામ મચી જવા પામી હતી તો સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છવાઈ જવા પામ્યો છે. વાંસદા તાલુકામાં ફરી કોરોનાના કહેર માં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો મોટીવાલઝર ગામના ૪૨.વર્ષીય અનિલભાઈ સોમાભાઈ પટેલ કોરોનાનો પોઝિટિવ કેસ બહાર આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોટીવાલઝરના કોરોના પોઝીટીવ દર્દી રવજીભાઈ મોહનભાઈ પટેલ થોડાક દિવસો પહેલા કોરોના કારણે મૃત્યુ પામ્યા હતા એમના જ ફળિયામાં રહેતા એમની સાથે સુરત અપડાઉન કરતા હતા અનિલભાઈ સોમાભાઈ પટેલ ને કોરોના નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે નવસારી યસફિન હોસ્પિટલમાં ખસેડાયા હતા.