गुजरात

સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 lakh from Mule account due to cyber fraud



દેશભરના
અલગ-અલગ રાજ્યમાં થયેલા  ફ્રોડના નાણા ખાતા
આવ્યા હતા

આરટીજીએસ, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે ભાવનગરનાં શખ્સે સગેવગે કર્યાં

ભાવનગર – 
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી ડીસીબી બેંકના
એકાઉન્ટમાં દેશભરના અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણા જમા થયા હોવાની
વિગતોએ પોલીસે તપાસ હાથ ધરતા તિલકનગરના શખ્સે મ્યુલ બેંક એકાઉન્ટમાં રૃા.૧.૮૩ લાખ
જમા કરાવી જુદાં-જુદાં સમયે આરટીજીએસ
, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે ઉપાડી લીધા હતા.

શહેરના
નિલમબાગ પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ અજીતસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં
વાઘાવાડી રોડ પર આવેલી ડીસીબી બેંકના ખાતા ધારક સુમિત નરેશભાઈ પરમાર (રહે.તિલકનગર
,મહાવીરનગર, આડોડિયાવાસ, ભાવનગર) સામે ફરીયાદ નોંધાવી હતી કે,
ભાવનગર સાઈબર ક્રાઈમ પોલીસ દ્રારા જાણ કરવામાં આવી હતી કે, મ્યુલ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા જમા થયેલ છે. જે અનુસંધાને તપાસ હાથ
ધરતા વાઘાવાડી રોડ પર આવેલી ડીસીબી બેંકના મ્યુલ એકાઉન્ટમાં આરટીજીએસ
, આઈએમપીએસ અને યુપીઆઈ મારફતે રૃ.૧૮,૮૩,૩૮૨ અલગ-અલગ ઓનલાઈન રકમના નાણા ટ્રાન્સફર થયા હોવાનું અને દેશભરના અલગ-અલગ
રાજ્યોમાં સાયબર ફ્રોડની અરજી થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. જેમાં વાઘાવાડી રોડ પર
આવેલી ડીસીબી બેંકના ખાતામાં જુદાં-જુદાં સમયે રૃા.૧૮
,૮૩,૩૮૨ની સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી અને ખાતેદાર સુમિત નરેશભાઈ પરમારે તે
રકમ પોતાના ખાતામાં જમા કરાવ્યા બાદ જુદા જુદા સમયે આરટીજીએસ
, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ અને ચેક મારફતે ઉપાડી લઈ
સગેવગે કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ
અજીતસિંહ ગોહિલે સુમિત વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ
ધરી છે.

બેંક
એકાઉન્ટમાં એક વર્ષમાં કરોડોનું ટ્રાન્જેકશન થયું હતું

સુમિત
નરેશભાઇ પરમાર કોઇ મોટા બિઝનેસ સાથે સંકળાયેલ ન હોય તેમ છતા તેમના ડીસીબી બેંક એકાઉન્ટમાં
વર્ષ-૨૦૨૫માં કુલ રૃ.૯
,૧૮,૯૦,૮૫૭ તથા વર્ષ-૨૦૨૬ માં કુલ
રૃ. ૭
,૬૪,૮૪,૨૮૭ મળી
કુલ રૃ.૧૬
,૮૩,૩૭,૧૪૪
ની ગેરકાયદે ટ્રાન્જેકશન થયેલ હોવાનુ ખુલ્યું હતું.



Source link

Related Articles

Back to top button