गुजरात

ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું | Smugglers target closed building on Garasia Street in Umaralala



ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

કાકા અને ભત્રીજાના મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૃ.૮૫
હજારના મત્તાની ચોરી

ભાવનગર –  ઉમરાળાના
ગરાસિયા શેરીના બે બંધ મકાનમાંથી અજાણ્યા ઈસમોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી
કુલ રૃ.૮૫ હજારના મત્તાની ચોરી કર્યાં અંગેની પોલીસ ફરિયાદ ઉમરાળા પોલીસ મથકમાં
નોંધાઈ છે.

ઉમરાળાની ગરાસિયા શેરીમાં રહેતા વિક્રમભાઈ ધનજીભાઈ ડાભી ગત તા.૧૬-૫ના રોજ
અમદાવાદ ખાતે તેમના દિકરાના ઘરે ગયા હતા. તા.૧૬-૫થી ૨૦-૫ના સમયાગાળા દરમિયાન તેમના
બંધ મકાનના અજાણ્યા ચોર ઈસમોએ તાળા તોડી કબાટનો લોક તોડી કબાટમાં રાખેલા
સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ રૃ.૬૬ હજારના મત્તાની ચોરી કરી હતી. જ્યારે
તેમના ભત્રીજા પ્રણવભાઈના રૃમના તાળા તોડી કબાટમાંથી ઘરેણાં
, રોકડ
અને ઘડિયાળ મળી કુલ રૃ.૧૯ હજારની મત્તાની ચોરી કરી હતી. આમ
, કાકા
અને ભત્રીજાના ઘરમાંથી ચોરોએ કુલ રૃ.૮૫ હજારના મત્તાની ચોરી કરી હતી. આ અંગે
વિક્રમભાઈ ધનજીભાઈ ડાભીએ ઉમરાળા પોલીસ મથકમાં અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 



Source link

Related Articles

Back to top button