गुजरात

ચોટીલા-અમદાવાદ હાઈવે પર પદવિહાર વખતે અકસ્માતમાં જૈન મુનિ કાળધર્મ પામ્યા | Jain muni Death in Chotila Ahmedabad highway road accident



Chotila-Ahmedabad Highway Road Accident: ચોટીલા-અમદાવાદ હાઈવે પર પદવિહાર કરતી વખતે અકસ્માતમાં એક જૈન મુનિ કાળધર્મ પામ્યા છે. આજે(28 મે) અમદાવાદ તરફથી 26 જૈન મુનિઓનો સમૂહ પદવિહાર કરીને ચોટીલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે હાઈવે પર મઘરીખડા ગામ નજીક એક અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે આવીને જૈન મુનિને અડફેટે લીધા હતા. અકસ્માતમાં પન્યાસપ્રવર ૐકારશેખર વિજયજી ગણિવર્યનું નિધન થતાં સમગ્ર જૈન સંઘમાં શોક છવાયો છે.

ચોટીલા–અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા મઘરીખડા અને શાપર વચ્ચે અકસ્માતના બનાવમાં પ્રેમ-ભુવનભાનુસૂરી સમુદાયના ઉપનય સમ્રાટ આચાર્ય અજિત શેખરસૂરિ મહારાજાના વિદ્વાન શિષ્ય પન્યાસપ્રવર ૐકારશેખર વિજયજી ગણિવર્ય કાળધર્મ પામ્યા છે. 

ભયંકર અકસ્માતને પગલે ઘટનાસ્થળે જ જૈન મુનિનું નિધન થયુ હતુ. અકસ્માતના બનાવને લઈને પોલીસ અને જૈન સમાજના અગ્રણીઓ ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCના ડમ્પરે ગરમીથી બચવા રાહદારીઓ માટે બનાવાયેલો શેડ તોડ્યો, વાહનને નુકસાન, જાનહાની ટળી

પન્યાસપ્રવર ૐકારશેખર વિજયજી ગણિવર્ય માત્ર 26 વર્ષની વયે દીક્ષા પર્યાય અને 6 વર્ષના પન્યાસપદ દરમિયાન  સંયમ, સાધના, તપશ્ચર્યાનું જીવન જીવી જૈન શાસનની સેવા અને પ્રભાવનામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. 



Source link

Related Articles

Back to top button