गुजरात

ઈંધણ બચાવવા લોકોને અપીલ સાથે અફ્સરો-નેતાઓને આદેશની જરૂર | Appeal to people to save fuel orders needed for officers and leaders



સપ્તાહે એક દિવસ સાયકલ-માસ ટ્રાન્સપોર્ટની વાત પણ વિસારે પાડી  : મનપામાં  6 પદાધિકારીઓને કાર, અફ્સરોની સંખ્યા વધતા દરેકને અલગ કાર : ST બસમાં ધનાઢ્ય  ધારાસભ્યો મુસાફરી કરતા નથી 

રાજકોટ, : દેશના આયાત ખર્ચમાં આશરે 30 ટકા પેટ્રોલિયમ ઈમ્પોર્ટ છે, જરૂરિયાતનું 85 ટકાથી વધુ ઈંધણ આયાત કરાય છે અને આ ઈંધણના ધુમાડાથી હવા પ્રદુષિત થતી રહે છે  અને ગ્રીનહાઉસ ઈફેક્ટની માઠી અસરો વર્તાઈ રહી છે ત્યારે વિદેશી હૂંડિયામણ બચાવવાની સાથે પર્યાવરણની રક્ષા માટે વડાપ્રધાને ઈંધણનો ખર્ચ-વપરાશ ઘટાડવા કરેલી અપીલ 

આજે નહીં, વર્ષોથી આવકાર્ય  છે પરંતુ, તેનો અમલ નહીં થવાનું મૂુખ્ય કારણ નેતાઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા માત્ર મોભો જાળવવા બેફામ ઈંધણ  વપરાશ છે. ટૂંક સમયમાં 15 મહાનગરપાલિકા ઉપરાંત નગરપાલિકા,પંચાયતના પદાધિકારીઓની નિયુક્તિ થશે. મહાપાલિકામાં અગાઉ ચેરમેન અને મેયરને જ મોટરકાર મળતી, હવે ડેપ્યુટી  મેયર ઉપરાંત શાસકપક્ષના નેતા, દંડક અને વિપક્ષી નેતાને પણ કાર ફાળવાય છે અને તે પણ સરકારી ખર્ચે ડ્રાઈવર, મરમ્મત અને અમર્યાદિત પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પ્રજાના ખર્ચે  કરવાની છૂટ સાથે. આ જ રીતે પોલીસ-મહપાલિકિ,પ્રશાસનમાં અફ્સરોની સંખ્યા વધી ગઈ છે અને દરેકને કાર,એ.સી.ચેમ્બર તો જોઈએ જ. વળી, છાશવારે મીટીંગોમાં દરેક  અધિકારી પોતપોતાની અલગ કાર,ડ્રાઈવર સાથે જાય તો જ મોભો જળવાય તેવી માન્યતા છે.

અગાઉ વડાપ્રધાને મન કી બાતમાં ઈંધણ બચતની વાત કરી ત્યારે રાજકોટમાં દર સપ્તાહે એક દિવસ સાયકલ કે સિટી બસમાં આવવાનું શરૂ કર્યું જે ટૂંક સમયમાં જ બંધ કરી દીધું.  એસ.ટી.બસોમાં દાયકાઓથી ધારાસભ્યો માટે રિઝર્વ્ડ સીટ રખાતી પણ ધનાઢ્ય થઈ ગયેલા ધારાસભ્યોને મોંઘીદાટ કારમાં જ આવવા જવાનું ગમે છે. રેલવેમાં પણ ભાગ્યે જ કોઈ  મુસાફરી કરે છે. રાજકોટ,અમદાવાદ જેવા મહાનગરોમાં હેલ્થ કોન્શિયસ લોકો સાયકલ પર અવરજવર કરવા ઈચ્છુક હોય છે પરંતુ, મહાપાલિકા કે સરકાર દ્વારા સલામત સાયકલ ટ્રેક બનાવ્યા નથી.  ભારે વાહનો પર પોલીસનું નિયંત્રણ નથી તેથી સાયકલ પર જનારને જીવનું જોખમ રહે છે. વિદ્યાર્થીઓ પણ ટુ વ્હીલર પર સ્કૂલ-કોલેજો જાય છે.  મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલથી માંડીને ઢેબરભાઈ જેવા મહાનુભાવો તો દેશને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવા સંશાધનોના કરકસરયુક્ત ઉપયોગને અમલમાં મુકીને  લોકોને મુક અને મક્કમ સંદેશો આપતા હતા. પરંતુ, હવે તેનાથી તદ્દન વિપરીત કાર્ય હોય કે કાર્યક્રમ, વધુને વધુ કરોડો ખર્ચવામાં તથા ડામરરોડ ટકાઉ નહીં બનાવીને ડામરના  સ્તર ઉપર સ્તર પાથરીને ખર્ચના બિલો ઉંચાને ઉંચા કરવામાં રસકશ લેવાય છે.  આમ જનતા નેતાઓ અને અફ્સરોને જોઈને અનુસરણ કરતી હોય છે ત્યારે ઈંધણખર્ચ બચાવવા તેમને અપીલ નહીં પણ આદેશ કરી અમલ કરાવાય તો ઈંધણનો ખર્ચ ઘટે તેમ છે.



Source link

Related Articles

Back to top button