વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavation will be done again to increase water storage capacity of Ajwa and Pratappura lakes

![]()
Vadodara : વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ આજવા-પ્રતાપપુરા સરોવર તેમજ વિશ્વામિત્ર નદીનો પ્રોજેક્ટ તૈયાર કરી માટી ખોદકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ ફરી એક વખત આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરી પાણી સંગ્રહની ક્ષમતા વધારવા કાર્યવાહી ખાતે ધરાશે.
વડોદરા શહેરના ઉપરવાસમાં આજવા (સયાજી) સરોવર તથા પ્રતાપપુરા સરોવરમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારવાના હેતુથી સરોવરની માટી ખોદી ઊંડું કરવાની કામગીરી આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ પહેલા કરાશે. આ અંગે સરકારે નક્કી કરેલી રોયલ્ટી ખાણ-ખનીજ વિભાગને આપી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે આ કામગીરી માટેનો તમામ ખર્ચ જે તે કોન્ટ્રાક્ટરોએ કરવાનો રહેશે. આ અંગે વિશ્વામિત્રી પ્રોજેક્ટ, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, રાજમહેલ રોડ ખાતે આગામી 12, મે સુધીમાં અરજી મોકલવા વિશ્વામિત્રી પ્રોજેક્ટના કાર્યપાલક દ્વારા જણાવાયું હતું.



