જામનગર જિલ્લામાં ધોરણ 10 નું 85.8 ટકા પરિણામ : ધ્રોળ કેન્દ્રનું સૌથી વધુ 93 ટકા પરિણામ | 85 8 percent result of standard 10 in Jamnagar district

![]()
Jamnagar 10th Board Exam Results : ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લામાં ધોરણ 10નું આજે પરિણામ જાહેર થતા કુલ 85.08 ટકા જેટલું ઉત્તમ પરિણામ નોંધાયું છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 14,443 જેટલા વિદ્યાર્થીઓમાંથી 14,232 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાંથી 12,109 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે 755 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે.
ગ્રેડ પ્રમાણે પરિણામ પર નજર કરીએ તો એ-વન ગ્રેડમાં 948 વિદ્યાર્થીઓ, એ-ટુ ગ્રેડમાં 2102 વિદ્યાર્થીઓ, બી-1 ગ્રેડમાં 2636 વિદ્યાર્થીઓ, બી-2 ગ્રેડમાં 3164 વિદ્યાર્થીઓ, સી-1 ગ્રેડમાં 3505 વિદ્યાર્થીઓ, સી-2 ગ્રેડમાં 2914 વિદ્યાર્થીઓ, ડી ગ્રેડમાં 1369 વિદ્યાર્થીઓ અને ઇ-ગ્રેડમાં 74 વિદ્યાર્થીઓ સફળ થયા છે.
જિલ્લાનું આ પરિણામ સંતોષકારક માનવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓના મહેનતભર્યા પ્રયત્નોનું પ્રતિબિંબ ગણાઈ રહ્યું છે. શિક્ષકો અને વાલીઓના સહયોગથી વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું હોવાનું શિક્ષણ વર્ગોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ પરિણામને પગલે જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે, તેમજ ભવિષ્યમાં પણ વધુ ઉત્તમ પરિણામ માટે શિક્ષણ તંત્ર દ્વારા સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં ધ્રોળ કેન્દ્રનું સૌથી વધુ 93 ટકા પરિણામ ; જ્યારે સૈથી ઓછું સિક્કા કેન્દ્રનું 67.5 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાનું કુલ પરિણામ 85.8 ટકા નોંધાયું છે. જિલ્લાના કેન્દ્ર મુજબ જોવામાં આવે તો ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ 93.0 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું 67.05 ટકા પરિણામ રહ્યું છે. જામજોધપુર કેન્દ્રમાં કુલ 1,171 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1008 ટકા વિદ્યાર્થીઓ પાસ થતા કુલ 86.8 ટકા પરિણામ નોંધાયું છે. જામનગર શહેર કેન્દ્રમાં કુલ 24,730 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 2,433 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને કુલ 83.56 ટકા પરિણામ નોંધાયું છે.
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 5,251 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 4,550 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેથી અહીં 86.75 ટકા પરિણામ નોંધાયું છે. કાલાવડ કેન્દ્રમાં કુલ 1,418 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1,164 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કુલ 82.9 ટકા પરિણામ આવ્યું છે. જોડિયા કેન્દ્રમાં કુલ 348 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 317 વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી અહીં 91.09 ટકા પરિણામ નોંધાયું છે. લાલપુર કેન્દ્રમાં કુલ 1,021 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 776 વિદ્યાર્થીઓ પાસ થતા અહીં 76.00 ટકા પરિણામ નોંધાયું છે. સિક્કા કેન્દ્રમાં કુલ 434 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 291 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી અહીં 83.22 ટકા પરિણામ નોંધાયું છે. આ રીતે જામનગર જિલ્લામાં આ વર્ષે સરેરાશથી સારું પરિણામ નોંધાતા શિક્ષણ જગતમાં આનંદની લાગણી વ્યાપી છે.



